માંગરોળ માં આજ રોજ તા.૨૫-૦૬-૨૦૨૨ રવિવાર ના રોજ અમરનાથ યાત્રા માં સેવા માટે નીકળેલા યાત્રિકો ને ભવ્ય વિદાય માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v4dbvzknpbec7adj/" left="-10"]

માંગરોળ માં આજ રોજ તા.૨૫-૦૬-૨૦૨૨ રવિવાર ના રોજ અમરનાથ યાત્રા માં સેવા માટે નીકળેલા યાત્રિકો ને ભવ્ય વિદાય માન


આજ રોજ નગર મધ્યે લીમડા ચોક માં મહાદેવ ના જયકારા સાથે અમરનાથ યાત્રા માં શ્રી મહાદેવ ગ્રુપ અને પ્રભુ પ્રસાદ પરિવાર દ્વારા પહેલગાવ કાશ્મીર માં ભંડારા નું આયોજન હોય સેવા અર્થે યાત્રિકો ને વિદાય સમસ્ત હિન્દૂ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌ રક્ષા સેના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વંદેમાતરમ ગ્રુપ બ્રહ્મ સમાજ,સંજીવની નેચર,લાલજી મંદિર પારાયણ સમિતિ,અને નગર ના શિવભક્તો એ ભવ્ય વિદાય માન આપ્યું યાત્રિકો ને ભગવા ખેસ અને હાર તોરા થી સન્માન કર્યું

યાત્રિકો માં કલ્પેશભાઈ જોશી,ડિમ્પલભાઈ પોપટ,રામજીભાઈ ચામુંડિયા,જાદવ ભાઈ,પીયૂષભાઇ મેરવાણા, નયનભાઈ વ્યાસ,મનીષભાઈ પરમાર વિગેરે ને વિદાય વખતે ભાવુક દ્રશ્યો સર્જાય અને હર હર મહાદેવ અને ચલો કશ્મીર ઘાટી મેં ભોલે બાબા કી શાદી મેં થી વાતાવરણ શિવમય થયું હતું

માહિતી મુજબ આ વખતે અમરનાથ યાત્રા માં રેકોર્ડ બ્રેક ભક્તો નો પ્રવાહ છે અંદાજા મુજબ સાતેક લાખ યાત્રિકો નું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે.

સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]