ગોધરા- કોંગ્રેસનો સાથ છોડનારા દુષ્યંતસિંહ ચૌહાણ સહિત ૭૦થી વધૂ હોદ્દેદારો આવતીકાલે અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપમા જોડાશે. - At This Time

ગોધરા- કોંગ્રેસનો સાથ છોડનારા દુષ્યંતસિંહ ચૌહાણ સહિત ૭૦થી વધૂ હોદ્દેદારો આવતીકાલે અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપમા જોડાશે.


ગોધરા-

લોકસભાની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંત ચૌહાણ સહિત 70 જેટલા કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કીધુ હતું, ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો એન્ડ કાર્યકરો આવતીકાલે કેસરિયા કરશે, આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના સ્ટાર પ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેર સભાને સંબોધન કરનાર છે, પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચુંટણી પ્રચાર અર્થે આવતીકાલે અમિત શાહ ગોધરા ખાતે આવી રહ્યા છે. દુષ્યંત સિહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે વિધાનસભાની ચુંટણી લડ્યા હતા.મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને દૂષ્યંતસિંહ ચૌહાણ મળ્યા હતા. કાર્યકરો અને વિવિધ હોદેદારો,મહિલા હોદ્દેદારો,શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા.

એહવાલ. વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.