ચુલ્લાની ચટાકેદાર વાલોળની ખેતીથી ખેડૂતોબે પાંદડે થયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hkgsx5zlwjfhqzhe/" left="-10"]

ચુલ્લાની ચટાકેદાર વાલોળની ખેતીથી ખેડૂતોબે પાંદડે થયા


વડાલીના ચુલ્લાના નરેશભાઇ પટેલે  વાલોળની એક સિઝનના પાકમાંથી ૪ લાખથી વધુની કમાણી કરી

*******

તમે હાઇવે પર મુસાફરી કરતા હોય અને ઘરના જેવું ખાવાની ઇચ્છા થાય તો હોટલ કે ઢાબા પર બેસોને ત્યાં તમારી થાળીમાં વાલોળનું શાક હોય ને પહેલા જ કોળીયો જીભ ઉપર મુકતા તેવું લાગે કે અરે આતો વડાલીની વાલોળ લાગે છે. વડાલીની વાલોળનો ચટકો લોકોને એવો લાગ્યો છે કે જો થાળીમાં વાલોળનું શાક ના હોય તો ભાણું અધૂરુ લાગે છે.

વડાલી અને તેના આસપાસના ગામોમાં થતી વાલોળના પાકનું એટલુ ઉત્પાદન થાયા છે કે તે સાબરકાંઠા જ નહિં પરંતુ આસપાસના રાજ્યો સુધી તેની માંગ રહે છે. તેની પાછળનું કારણ છે નરેશભાઇ પટેલ જેવા ધરતીપુત્રોની મહેનત.

વાત છે વડાલી તાલુકાના ચુલ્લા ગામના નરેશભાઇ પટેલની કે જેવો બાપદાદાના સમયથી વાલોળની ખેતી કરતા હતા. પણ ટૂંકી જમીનમાં થતી ખેતીથી  ઉત્પાદનની કોઇ આવક દેખાતી ન હતી.

આ અંગે વાત કરતા નરેશભાઇ કહે છે કે મારે ૧૯ વિઘા જેટલી જમીન છે. જ્યાં અમે અગાઉ ધાન્ય પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ એમાં મહેનત ઝાઝી અને વળતર ઓછુ હતુ. હવે વાલોળનું વાવેતર વધુ જમીનમાં કરતા ટૂંકા ગાળામાં આવકમાં  વધારે મળતી થઇ. શરૂઆતના તબક્કામાં મેં બે થી ચાર  વિઘામાં વાલોળની ખેતી કરી.જેમાંથી ૩ લાખથી વધુની આવક થઇ.બજારમાં માંગ વધતા મેં આ વર્ષે ૮ વિઘા જમીનમાં વાલોળની ખેતી કરી. જેમાં એક મહિનામાં બે લાખથી વધુની આવક થઇ છે. હજુ આ પાકમાંથી મને ચાર લાખથી વધુની આવાક થશે તેવી આશા છે.  

નરેશભાઇમાંથી પ્રેરણા લઇને આસપાસના ખેડૂતોએ શાકભાજી પાકોનું વાવેતર શરૂ કર્યુ છે. જેના થકી ખેડૂતો ખુશહાલ બન્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]