વેકેશનમાં દેશ-વિદેશ ફરવા જનારાઓની સંખ્યા ઘટી, દર વર્ષે ફરવા જવા માટે રાજકોટિયન્સો કરોડો ખર્ચે છે, પણ આ વખતે રસ ઓછો - At This Time

વેકેશનમાં દેશ-વિદેશ ફરવા જનારાઓની સંખ્યા ઘટી, દર વર્ષે ફરવા જવા માટે રાજકોટિયન્સો કરોડો ખર્ચે છે, પણ આ વખતે રસ ઓછો


રાજકોટિયનો હરવા-ફરવાનાં ભારે શોખીન છે. દિવાળી તેમજ ઉનાળાનાં વેકેશનમાં મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક ફરવા નિકળી પડતા હોય છે. જોકે હાલ અનેક શાળા-કોલેજોમાં વેકેશન પડી ગયા છે. કેટલીક કોલેજોમાં આવતા મહિનાથી વેકેશન પડી રહ્યા છે. જોકે આમ છતાં લોકસભા ચૂંટણી ઉપરાંત દુબઈમાં આવેલા પુરનાં કારણે ફરવા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકારી કર્મચારીઓથી લઈ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકોએ ફરવા જવાનું ટાળ્યું હોવાને કારણે વેકેશનની સિઝન નહીં હોવાનું હાલ ટ્રાવેલ એજન્ટો પાસેથી જાણવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.