એશિયાના સૌથી મોટા પ્રાકૃતિક ઘાસના મેદાન એવા બન્નીની વિચરતી જાતિની મહિલાઓ બની આંત્રપિન્યોર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%8f%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%95%e0%ab%83/" left="-10"]

એશિયાના સૌથી મોટા પ્રાકૃતિક ઘાસના મેદાન એવા બન્નીની વિચરતી જાતિની મહિલાઓ બની આંત્રપિન્યોર


એશિયાના સૌથી મોટા પ્રાકૃતિક ઘાસના મેદાન એવા કચ્છના બન્ની વિસ્તારની માલધારી મહિલાઓ સદીઓથી પરંપરાગત પશુપાલન તથા ઘરની ચાર દિવાલ વચ્ચે ગૃહિણી તરીકે જીવન વ્યાપન કરી રહી છે. આ વિસ્તારમાં રોજીરોટીના સાધન તરીકે પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ હાલ કેન્દ્ર અને રાજય સરકાર મહિલાઓની ઉન્નતિ તથા તેમને પગભર કરવા વિવિધ યોજનાઓ અમલી કરી છે. ત્યારે તેનો ફાયદો કચ્છના આ સરહદી માલધારી વિસ્તારની મહિલાઓ સુધી પણ પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બન્ની ગ્રાસલેન્ડ કચ્છના રણમાં આવેલું છે, વિવિધ માલધારી જનજાતિથી સમૃદ્ધ બન્નીની ભૂમિ હજારો વર્ષો સુધી સિંધુ અને અન્ય નદીઓ દ્વારા જમા કરેલા કાંપથી બનેલી છે. પરંતુ ૧૮૧૯ના કચ્છના ભુકંપ બાદ સિંધુ નદીએ વહેણ બદલતા આ સમગ્ર વિસ્તાર પ્રભાવી ઢંગથી શુષ્ક બની ગયો છે. પશુપાલન પર નિર્ભર આ વિસ્તારની બન્ની ભેંસ લાખેણી છે. આ વિસ્તાર જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે. સાથે પ્રવાસી અને નિવાસી પક્ષીઓની ૧૫૦થી વધુ પ્રજાતિઓને વિસ્તાર આકર્ષિત કરે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, વિવિધ ભરતકામ માટે પણ અહીંનો પ્રદેશ જાણીતો છે. અહીંની મહિલાઓની આંગળીના ટેરવે ગજબનો કસબ છુપાયેલો છે. મહિલાઓના પરંપરાગત પહેરવેશમાં તે ઉડીને આંખે વળગે છે. પરંતુ અત્યારસુધી આ કળા ઘરની ચાર દિવાલથી બહાર નીકળી ન હતી.

તાજેતરમાં ભુજ હાટમાં જયારે આખા ગુજરાતમાંથી વિવિધ કલા-કારીગરો પોતાની કળાનું પ્રદર્શન-વેચાણ કરવા પધાર્યા હતા. ત્યારે કચ્છના છેવાડાના બન્નીના ગોરેવાલીની ૪૦ વર્ષીય ઉમલાબેન કેસા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરં૫રાગત પહેરવેશ તથા પોતાની સંસ્કૃતિને જાળવી રાખીને તેઓ એક બિઝનેસવુમનની જેમ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે, અત્યારસુધી રોજગારીના સાધનો સીમિત હતા જેનાથી પરિવારને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. અમારી પાસે કલાકારીગરી તો હતી પરંતુ મહિલાઓ ઘરમાં જ રહીને કામ સંભાળતી હોવાથી કોઇ દિવસ બહાર નીકળીને કંઇ નવું કરવાનો વિચાર આવ્યો ન હતો. ઓછા શિક્ષણ, આત્મવિશ્વાસના અભાવ વચ્ચે અમને સરકારે પગભર થવા પ્રોત્સાહિત કરતા સમગ્ર પરીવાર મારી પડખે ઉભીને હાલ મારી મદદ કરી રહ્યો છે. સરકાર દ્વારા સખી મંડળની સ્થાપના કરાવીને વિવિધ યોજનાઓના લાભ સાથે પ્રોડકટના વેચાણ માટે પ્રદર્શન- મેળામાં નિ:શુલ્ક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું હોવાથી અમારા જેવી અશિક્ષિત મહિલાઓને પણ ખુલ્લુ આકાશ પ્રાપ્ત થયું છે.

તેઓ ઉમેરે છે કે, છેલ્લા એક વર્ષથી ચામુંડા સખી મંડળની સ્થાપના કરીને અમે અહીંના પરંપરાગત ભરતકામથી વિવિધ પ્રોડકટ બનાવીને વેંચાણમેળાના માધ્યમથી તથા વેપારીઓને વેચાણ કરી રહ્યા છીએ. ભરતકામમાં જોઇએ તો, પાકો, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેક વગેરેનો ઉપયોગ કરીને પેચ, બોર્ડર, બ્લાઉઝ, કઝરી, વોલપીસ, સાડી બોર્ડર, સ્ટોલ વગેરે બનાવીએ છીએ. હાલ સખી મંડળમાં ગોરેવાલીની ૧૫ બહેનો જોડાયેલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]