સાયલા તાલુકાના કેસરપર ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w04xbpucbwepvp1f/" left="-10"]

સાયલા તાલુકાના કેસરપર ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.


કાલે સવારે તારીખ 21/7/2022 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કેસરપર મુકામે આગાખાન સંસ્થા દ્વારા અલગ અલગ જાતના વૃક્ષો વાવી આ કાર્યક્રમના સફળ બનાવવામાં આવ્યો.સાથે સાથે વૃક્ષો વાવો, વરસાદ લાવો આ સૂત્રને પણ પ્રવચન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાયલા તાલુકા આગાખાન સંસ્થાના કર્મચારીઓ, આયા, કેસરપર ગામના સરપંચ યશપાલસિંહ, ઉપસરપંચ વિનુભાઈ સારલા, તલાટી સાહેબ, કેસરપર ગામના આગેવાન વરસીંગભાઈ તેમજ સ્કૂલના શિક્ષકો અને બાળકો, ગ્રામજનો સાથે રહીને સહભાગી બનીને આ કાર્યક્રમના સફળ બનાવવાનો જહેમત ઉઠાવ્યો. સાથે સાથે કેસરપર ગ્રામજનો એ વૃક્ષોને સારી રીતે જતન અને ઉછેર કરવાની પ્રતિક્રિયા આપી. જેમાં સરપંચ યસપાલસિંહ એ તમામ ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો.
at this time news sayala

રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]