દહેગામ વિધાનસભા ના આમ આદમી પાર્ટી ના સંભવિત ઉમેદવાર ઘનશ્યામસિંહ ઝાલા સાથે ખાસ મુલાકાત
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ખુબ નજીક આવી રહી છે જેમાં દહેગામ વિધાનસભા માં પણ ત્રિપાખિયો નો જંગ જોવા મળી શકે છે જેમાં ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ આ વિધાનસભા ની ચૂંટણી માં ઉમેદવાર ઉતારવા જઈ રહી છે ત્યારે દહેગામ આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી અને નેતા એવા ઘનસ્યામસિંહ ઝાલા સાથે ખાસ મુલાકાત કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ દહેગામ માં વિધાર્થીઓ માટે કલાસીસ કોર્સ ચલાવે છે અને ગામડાઓમાથી આવતા ગરીબ વિધાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપી રહ્યા છે અને તેઓ પોતે એક વર્ષ થી અરવિંદ કેજરીવાલ ના વિચારો અને દિલ્લી સરકાર માં શિક્ષણ પ્રત્યે ખુબ સારુ કામ જોઈને આમ આદમી પાર્ટી માં જોડાયેલ છે હજુ પણ જો પાર્ટી તેમને દહેગામ વિધાનસભા ચૂંટણી લડવા ટિકિટ આપશે તો હંમેશા તેઓ ગામડાઓમાં લોકો ને પડતી સમસ્યાઓનું ઝડપ થી નિરાકરણ લાવશે અને દહેગામ માં ક્ષત્રિય સમાજ ના મતદારોનું પ્રભુત્વ વધારે હોવાથી તેઓ પોતાના સમાજ ની સાથે સાથે અન્ય સમાજ ને પણ સાથે લઇ ચાલશે. , , એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]