નિવૃત્ત ફૌજીએ પત્નીને કાઢી મૂકી પરસ્ત્રી સાથે ઐયાશી કરતો હતો - At This Time

નિવૃત્ત ફૌજીએ પત્નીને કાઢી મૂકી પરસ્ત્રી સાથે ઐયાશી કરતો હતો


22 વર્ષ પતિનો ત્રાસ સહન કરનાર પત્નીએ નોંધાવી ફરિયાદ

પત્નીની હાજરીમાં જ યુવાન પરસ્ત્રીને ઘરે લઇ આવતો હતો

શહેરના સાધુવાસવાણી રોડ, ન્યૂ અંબાકી પાર્ક-4માં બે દીકરા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહેતા રેખાબેન નામની પરિણીતાએ ચોટીલાના નવાગામ બામણબોર ગામે રહેતા નિવૃત્ત ફૌજી એવા પતિ દેવકુ કેસાભાઇ પરમાર, જેઠ લગધીરભાઇ, રાયધનભાઇ, જેઠાણી નીમુબેન, વિજુબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા દેવકુ સાથે 2000માં લગ્ન થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે દીકરા છે. પતિ ફરજ પર હોય ત્યારે પોતે જામનગર પિયરમાં રહેતી હતી. બાદમાં નિવૃત્તિના આઠ વર્ષ પૂર્વે પતિ દેવકુ આસામ અને જયપુર સાથે લઇ ગયા હતા. ત્યાં અવારનવાર દારૂ પીને પોતાને માર મારતા હતા.

નિવૃત્તિ બાદ બધા રાજકોટ સાધુવાસવાણી રોડ પર રહેવા આવ્યાં હતાં. અહીં પણ પતિ દારૂ પીને પોતાને માર મારી ધમકી દેતા રહેતાં હતાં. મોડી રાતે દારૂ પીને ઘરે આવી પ્લાસ્ટિકના પાઇપથી પોતાને માર મારી બંને સંતાન સાથે બહાર કાઢી મૂકતા હતા. એટલું જ નહિ પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોય તે શેહશરમ છોડીને પરસ્ત્રીને ઘરે લઇ આવતા અને પતિ પોતાને કહેતાં તું ઘરની બહાર નીકળી જા, નહીંતર તને મારી નાંખીશ, જેથી પોતે ડરથી બંને દીકરાને લઇ બહાર નીકળી જતી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.