વિસાવદર પંચકેસરી હનુમાનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન થયું. - At This Time

વિસાવદર પંચકેસરી હનુમાનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન થયું.


વિસાવદર પંચકેસરી હનુમાનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન થયું.
વિસાવદર
વિસાવદરથી નજીક મંડોરીયા સતાધાર રોડ ઉપર આવેલ પંચ કેસરી હનુમાનજી મહારાજની જગ્યા આવેલ છે. ત્યાં આજના દિવસે આ પંચ કેસરી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનુ ભવ્ય આયોજન વિસાવદર પંચ કેસરી હનુમાનજી ગ્રુપ દ્વરા કરવામાં આવ્યું છે. સાથે સાથે મારુતિ યજ્ઞનુ પણ આયોજન કરેલ છે.
વિસાવદર ગીર બોર્ડર વિસ્તારમાં આ જગ્યા આવેલ છે. અતિ ભવ્ય અને મનોરમ્ય જગ્યા છે.ત્યાં આજે તારીખ 17/2/23 ને શુક્રવારના મારુતિ યજ્ઞ અને હનુમાજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનુ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હનુમાનજી મહારાજના દર્શન કરવા અને આ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા ભારે સંખ્યામાં ભક્ત સમુદાય હાજર રહ્યો હતો. યજ્ઞ, ભોજન, અને ભજન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.