ભારતના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સિદ્ધપુર શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્યાંગ લોકોને વિના મૂલ્યે સાધન સહાય આપવાનો કાર્યક્રમ આઈ. ઓ.સી. અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cck8ckcgcpdhxhiq/" left="-10"]

ભારતના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સિદ્ધપુર શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્યાંગ લોકોને વિના મૂલ્યે સાધન સહાય આપવાનો કાર્યક્રમ આઈ. ઓ.સી. અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું


આજે ભારતના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સિદ્ધપુર શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પાટણ જિલ્લાના સાંસદશ્રી ભરતસિંહ ડાભી સાહેબના મુખ્ય મહેમાન પદે દિવ્યાંગ લોકોને વિના મૂલ્યે સાધન સહાય આપવાનો કાર્યક્રમ આઈ. ઓ.સી. અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિદ્ધપુર તાલુકાના દિવ્યાંગ લોકો માટે ટ્રાયસીકલ,મોબાઈલ, વ્હીલચેર વગેરે આપવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા શ્રી ડાભી સાહેબે સિદ્ધપુરના રેલવે અને ખેડૂતોને મુજવતાં પ્રશ્નોની જાણકારી લઈ એના માટે ઘટતું કરવાની ખાતરી આપી હતી. સાથે સિદ્ધપુર સહિત તાલુકાના અલગ અલગ લોકોની રજૂઆતો સાંભળી હતી.
પાટણ બ્યુરો ચીફ :- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]