गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात्‌ परब्रह्म तस्मै श्री गुरवे नमः॥ - At This Time

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात्‌ परब्रह्म तस्मै श्री गुरवे नमः॥


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે તા.03-07-2023ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને સુવર્ણના વાઘા તેમજ દાદાના સિંહાસનને હજારીગલ(ગલગોટા),ગુલાબ વિગેરે પુષ્પોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.
ગુરુપૂર્ણિમાંના પવિત્ર દિને સવારે 6:30 થી 7:00 કલાક દરમિયાન સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન કરી આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી-અથાણાવાળા તથા સદ્‌ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીની આરતી શ્રી હ્રદયપ્રકાશસ્વામી અને શ્રી તીર્થસ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ ગુરુ પૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી. સાંજે ૫:૩૦ કલાકે ષોડશોપચાર દાદાનું ભવ્ય પૂજન-અભિષેક-પુષ્પભીષેક-મહાઆરતી કરવામાં આવેલ.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એવં સંતોના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ Salangpur Hanumanji - Official યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.