બોટાદ નગરપાલિકા દ્વારા 60 નળ કનેક્શન અને 42 મિલકતો ને શીલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b2z2pimalst8kdtp/" left="-10"]

બોટાદ નગરપાલિકા દ્વારા 60 નળ કનેક્શન અને 42 મિલકતો ને શીલ


નગરપાલિકા વેરા વિભાગ દ્વારા ૫,૮૪ લાખ જેટલી બાકી રકમ વસૂલી

બોટાદ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ટીમો દ્વારા ડોટ ટુ ડોર વસુલાતની કામગીરી ચાલુ છે ત્યારે બોટાદના અલગ અલગ વિસ્તારોમાં બાકી વેરા બાબતે નોટીસો આપવામાં આવી હતી તેમ છતાં બાકી વેરો ન ભરતા નગરપાલિકા દ્વારા લાલ આંખ કરી શહેરના વિસ્તારો 60 જેટલા નળ કનેક્શન તેમજ 42 જેટલી મિલકતો ને સીલ મારવામાં આવ્યા તેમજ નગરપાલિકા દ્વારા રજા દિવસોમાં પણ વસુલાત ની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી તેમજ સરકારશ્રીના આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત જુના માંગણા માટે યોજના હેઠળ કરદાતા તેમની મિલકત પેટે ૧-૪-૨૩ સુધી અગાઉ ના જુના માગણા ભરપાઈ કરે તો વ્યાજ અને પેનલ્ટી ફી માફ કરવામાં આવશે તેમજ 31 3 2023 નગરપાલિકા નો બાકી ટેક્સ નહીં ભરવામાં આવે તો ગટર, નળ કાપવામાં આવશે અને મિલકતો સીલ મારવામાં આવશે જેથી વહેલી તકે વેરો ભરી જવા બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જાણ કરવામાં આવે છે તેમ એક અખબાર યાદી દ્વારા જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]