જાણો જસદણની ગેબનશા સોસાયટીમાં સ્નેહમિલન કાર્યક્રમમાં શું થયું ? - At This Time

જાણો જસદણની ગેબનશા સોસાયટીમાં સ્નેહમિલન કાર્યક્રમમાં શું થયું ?


જાણો જસદણની ગેબનશા સોસાયટીમાં સ્નેહમિલન કાર્યક્રમમાં શું થયું ?

જસદણની ગેબનશા સોસાયટીમાં આવેલ ઘાંચી સમાજની વાડી ખાતે કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને સ્નેહમીલન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જસદણ શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઘાંચી સમાજના પ્રમુખ રફીકભાઈ ગોગદા, સિપાઈ સમાજના પ્રમુખ મહેબૂબભાઈ પઠાણ, મેમણ સમાજના પ્રમુખ ઈમરાનભાઈ ખીમાણી, લઘુમતી મોરચાના રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્લાઉદીનભાઈ ફોગ, લઘુમતી મોરચાના શહેર પ્રમુખ ઈલિયાસભાઈ, મુસ્લિમ સમાજના આગેવાન સીરાઝભાઈ ડાયાતર, શબ્બીરભાઈ કથીરી સહિતના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જસદણના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કુંવરજીભાઇ બાવળિયાને જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો જંગી લીડથી જીતાડવાની ખાતરી આપી હતી.
રીપોર્ટ રસીક વીસાવળીયા
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.