જમ્મુ અને કાશ્મીરમાં ૨૦૨૨માં ૧૩6 આતંકીઓ ઠાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/100-terrorists-killed-in-kashmir-in-2022-63-of-them-were-from-lashkar-report/" left="-10"]

જમ્મુ અને કાશ્મીરમાં ૨૦૨૨માં ૧૩6 આતંકીઓ ઠાર


શ્રીનગર, તા.૧૧સલામતી દળોએ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સરહદ પર ઘૂસણખોરી અટકાવવા સહિતના ઓપરેશન દરમિયાન કાશ્મીરમાં ૧૩6થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા મોટાભાગના આતંકીઓ લશ્કર-એ-તોયબાના છે. સલામતી દળોના અભિયાનમાં તોયબાના ૭૦થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય જૈશ-એ-મોહમ્મદના ૨૪થી વધુ આતંકીને ઠાર કરાયા છે તેમ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ માર્યા ગયેલા આતંકીઓમાંથી ૩૫ જેટલા વિદેશી હતા.ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ બમણા આતંકીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે પહેલા છ મહિનામાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં એક વિદેશી સહિત ૫૦થી વધુ આતંકી માર્યા ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]