એકલવાયું જીવન જીવતા યુવકની કોહવાયેલી લાશ મળી - At This Time

એકલવાયું જીવન જીવતા યુવકની કોહવાયેલી લાશ મળી


શહેરના ગોકુલધામ પાસે આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં આજે દુર્ગંધ આવતા માલવીયા નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.આ મામલે પોલીસે આવી અને ત્યાં નજીકમાં જ અન્ય સોસાયટીમાં રહેતા પરિવારને જાણ કરતા તેઓએ ફ્લેટનો દરવાજો ખોલ્યો તો તેમાં રહેતા કમલભાઈ વલ્લભભાઈ ગોહિલ(મોચી)(ઉ.વ.32)નો કોહવાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો.
ત્યારબાદ તેમના પરિવારે જણાવ્યું હતું કે કમલ માનસિક બીમાર હતો અને એકલવાયું જીવન જીવતો હતો.તે પાંચેક દિવસથી ઘરની બહાર નીકળતો નહોતો અને આજે બપોરે અચાનક ફ્લેટમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી.કમલ એક બહેનનો એકનો એક ભાઈ હતો.
કમલ માનસિક બીમાર હોય અને પરિવારમાં લોકો સાથે મારકુટ કરતો હોય જેથી પરિવાર અલગ સોસાયટીમાં ભાડેથી મકાનમાં રહેતો હતો.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.પોલીસના પ્રાથમિક તપાસમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.