આજ રોજ માંગરોળ માં યોજાયો એક અભૂતપૂર્વ સેવા યજ્ઞ એકતા ફાઉન્ડેશન ના નેતૃત્વ હેઠળ - At This Time

આજ રોજ માંગરોળ માં યોજાયો એક અભૂતપૂર્વ સેવા યજ્ઞ એકતા ફાઉન્ડેશન ના નેતૃત્વ હેઠળ


માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, 111 રક્તદાતાઓએ રકતદાન કર્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના બસસ્ટેશન પાસે આવેલા ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે એકતા ફાઉન્ડેશન અને શ્રી રામ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ માં રાજકીય સામાજિક આગેવાનો, હિન્દૂ મુસ્લિમ ધર્મગુરુઓ, તમામ જ્ઞાતિના વડાઓ, પત્રકારો, પાલિકા સદસ્યો, સરપંચો, સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં 111 જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.

એકતા ફાઉન્ડેશન દ્વારા લોકોને લાભ મળે તેવી વિવિધ કામગીરી કરવામાં આવે છે તેમજ શ્રી રામ બ્લડ બેંક દ્વારા જયારે પણ કોઈ ને રક્તની જરૂરિયાત પડે , અથવા બ્લડ કેન્સર, થેલેસેમિયા ગ્રસ્ત લોકોને ત્યારે કોઈપણ બ્લડ જમા કરાવ્યા વિના રક્ત આપવામાં આવે છે.
કેમ્પને સફળ બનવવા એકતા ફાઉન્ડેશનના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી..

સંકલન કાસીમભાઈ સમ
રિપોર્ટર સુદીપ ગઢિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.