કમળાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે નિદાન કેમ્પમાં 110 દર્દીએ લાભ લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xeumsivsxzh7l9h8/" left="-10"]

કમળાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે નિદાન કેમ્પમાં 110 દર્દીએ લાભ લીધો


કમળાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે નિદાન કેમ્પમાં 110 દર્દીએ લાભ લીધો

કમળાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે હૃદય રોગ તેમજ હાલ ની પરિસ્થતી પ્રમાણે વધુ કેસ જોવા મળતા બ્લડ પ્રેસર તેમજ ડાયાબિટીસનો કેમ્પ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા કરવામા આવેલ. હૃદય સંબંધિત તપાસ હૃદય ના નિષ્ણાંત ડો. પાર્શ્વ વોરા સાહેબ દ્વારા તેમજ બ્લડપ્રેસર, ડાયાબિટીસ ની સંપૂર્ણ તપાસ એમ.ડી ર્ડોક્ટર ડો. કુશલ સામાણી દ્વારા કરવામાં આવેલ. બપોરના 01 વાગ્યા થી 04 સુધી કેમ્પ દરમિયાન કુલ 110 દર્દીએ કેમ્પનો લાભ લીધો હતો અને નિદાન, લેબોરેટરી, છાતી નો ઈ.સી.જી, તેમજ દર્દી ને દવા સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવેલ. આ કેમ્પમાં કમળાપુર આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવેલ

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]