શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૭૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી - At This Time

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૭૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી


શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૭૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૭૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી વડીલોની સ્મૃતિ માં ૪૮૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટ ના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ.શ્રી ચંદ્રશંકરભાઈ મોરારજીભાઈ મહેતા ના સ્મરણાર્થે ૪૮૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૬ એપ્રિલ નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૭૩ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. હિરવા બહેન પટેલ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૩ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૬ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.......

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.