ડભોઇ ના સુંદરકુવા મદ્રસા ખાતે મનસુરી સમાજનુ વાર્ષિક સંમેલન યોજાયુ - At This Time

ડભોઇ ના સુંદરકુવા મદ્રસા ખાતે મનસુરી સમાજનુ વાર્ષિક સંમેલન યોજાયુ


    

         ડભોઇ ના સુંદરકુવા વિસ્તાર મા આવેલ મદ્રેસા બિલ્ડીંગ ખાતે મનસુરી પીંજારા વોરા સમાજનો વાર્ષિક સંમેલન યોજાયુ હતુ.જેમા મનસુરી સમાજ ટ્રસ્ટ ધ્વારા કરેલ કામો,હીસાબ કિતાબ,આવક,જાવક સહીત આગામી વર્ષ મા કરવામા આવનાર કામો સમાજના લોકો સમક્ષ જાહેર કરાઇ હતી.તેમજ સમાજના સંગઠણ,શિક્ષણ અને સેવા પર ભાર મુકાયો હતો.સમાજ ની કામગીરી ને તમામ લોકોએ તાળીઓ ના ગડગડાટ સાથે વધાવી લઈ વહીવટદારો ને અભિનંદન પાઠવ્યા હતા.

     ડભોઇ મનસુરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટનુ વાર્ષિક સમેલન સુંદરકુવા મદ્રસા બિલ્ડીંગ ખાતે યોજાયુ હતુ.કાર્યક્રમ ની શરુઆત મૌલાના સદ્દામહુશેન મનસુરી ધ્વારા કુરાન મજીદ ની તિલાવત અને સમાજ ની લાગણી,એકતા સંગઠણ પર ભાર મુકવાના બયાન સાથે કરાઇ હતી.મુફ્તિ ઇબ્રાહીમ સાહબ ધ્વારા સમાજ ના લોકો ને ઇસ્લામી કુરાન અને હદીશની રોશની સમાજલક્ષી સેવા કાર્યો નુ આગવુ મહત્વ સમજાવ્યુ હતુ.મનસુરી સમાજ ના પ્રમુખ ઇસ્માઇલભાઇ ઉર્ફે સઈદભાઇ અલ્લીભાઇ મનસુરી એ ચાલુ વર્ષે કરેલા સેવા કાર્યો ના કાર્યક્રમો,હીસાબ કિતાબ,બેંક બેલેંસ વહીવટ અને આગળ ના સમય ના કાર્યક્રમો વિશે ખુબજ મહત્વપુર્ણ સમજ આપી હતી.જેને સમાજ ના લોકોએ તાળીઓ ના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.ઉપપ્રમુખ ઐયુબભાઇ મનસુરી(ગોજાલ) એ સમાજ ની એકતા જરુરી હોવાની વાત પર ભાર મુકી લોકો ને સમજ આપી હતી.જ્યારે મંત્રી હાજી મહમદહનીફ મનસુરી એ સમાજ ના નિયમો નુ પાલન કરવાની સમજ આપી હતી.જ્યારે આભાર વિધી સહમંત્રી એયુબભાઇ મનસુરી એ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.