નરેન્દ્ર મોદી કોંગ્રેસને ભ્રષ્ટ સાબિત કરવાં પરોક્ષપણે અદાણી-અંબાણીને કાળાબજારીયા કહી રહ્યા છે.? વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ - At This Time

નરેન્દ્ર મોદી કોંગ્રેસને ભ્રષ્ટ સાબિત કરવાં પરોક્ષપણે અદાણી-અંબાણીને કાળાબજારીયા કહી રહ્યા છે.? વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ


નરેન્દ્ર મોદી કોંગ્રેસને ભ્રષ્ટ સાબિત કરવાં પરોક્ષપણે અદાણી-અંબાણીને કાળાબજારીયા કહી રહ્યા છે.? વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદાણી -અંબાણી ટેમ્પો અને કોથળા ભરી કોંગ્રેસને પૈસા પહોંચાડતા હોવાની શંકા વ્યક્ત કરી કયા આધાર થી વડાપ્રધાન શ્રી આવું બોલે છે તે સ્પષ્ટતા કરે શ્રી ઠુંમર રાહુલ ગાંધી પાસે સ્પષ્ટતા માંગી. હકીકતે આ બાબતે ઇડી સિબીઆઈ નો ઉધડો લેવાવો જોઈતો હતો. બીજું, મોદીજી મુકેશભાઈ કે ગૌતમભાઈને ફોન કરી માહીતી મેળવી મામલો ઘરમેંળે પતાવી શક્યા હોત. પરંતુ જાહેર મંચ પરથી આ વાત કરી મોદીએ અદાણી -અંબાણી ને જ નહિ એમના કટ્ટર સમર્થકોને મુઝવણમાં મુકયા છે.
રાહુલ ગાંધીના સંસદના ભાષણમાંથી શોધી શોધીને અદાણીનું નામ રેકાર્ડમાંથી ભુસાવી નાખનારના કાન આજે રાહુલના મોઢે અદાણી શબ્દ સાંભળવા તરસે છે એ વાત પચવી અઘરી પડે છે.મોદીજીનો પડ્યો બોલ ઝીલી લેતાં અને પ્રત્યેક વાતને માસ્ટર સ્ટ્રોકની દ્રષ્ટિએ જોતા સમજતા સમર્થકો આ નિવેદનને લઇ વીમાસણમાં છે કે પ્રતિક્રિયા આપવી તો શું આપવી? મોદીજી કોંગ્રેસને ભ્રષ્ટ કહી રહ્યા છે કે અદાણી -અંબાણીને કાળાબજારીયા એ સમજાય તો ભક્તોને ટ્વીટર પર કોને ટ્રોલ કરવાં એની ખબર પડે. એકતરફ ભક્તોનો પૈસા ભરેલો ટેમ્પો લઇ કોંગ્રેસ ભવન જતાં અદાણી -અંબાણીના ટાર્ગેટ કરવામાં ઊંછળકૂદ કરતા હશે અને બીજી તરફ ભાઈબંધો ઝગડીને પાછા ભેગા થઇ જાય તો આપડુ શું થાય એની ચિંતા સતાવતી હશે.
સાલ્લું સાહેબે નોટબંધી પછી કાળુનાણુ ખતમ કરી દીધું હતું તો અદાણી -અંબાણી પાસે આ કોથળા ને ટેમ્પો ભરી આવ્યું ક્યાંથી? સાહેબે આપણને છેતર્યા કે અદાણી -અંબાણીએ સાહેબને, એ વિચારી ભક્તો માથું ખણતા હશે.મોદીજી હવામાં કોઈ વાત કરતાજ નથી એવો દાવો કરતાં સમર્થકોએ અદાણી કે અંબાણીના ટેમ્પોમાં કાળાનાણાંની હેરાફેરી પર વિશ્વાસ કરવો જ પડે. જો ટેમ્પો બચાવવાં જાય તો ભેંસ અને મંગળસૂત્ર ખોટા પડે કેમકે એ દાવા પણ સાહેબે જ કર્યા છે. દ્વિધા એ પણ થાય કે મોદીજીની ભેંસ અને ઘરવાળીના મંગળસૂત્રને બચાવવું કે રાહુલ ગાંધી પર અદાણી -અંબાણીનો ટેમ્પો ઊંધો પાડવો. ગુજરાત બ્રાન્ડ ભક્તોને તો વળી અદાણી -અંબાણીના ગુજરાતીપણાને બચાવી રાખી કોંગ્રેસને બદનામ કરવાનું કાઠું કામ કરવાનું, કેમકે દરેક વાતને ગુજરાતના અપમાન સાથે જોડનાર મોદીજી પોતે જ આ બન્ને ટેમ્પોટ્રાવેલર ગુજરાતી છે એ ભૂલી ગયાં.
યે દોસ્તી નહિ તોડેંગે નું કોરસ દોસ્ત દોસ્ત ના રહા માં ફેરવાઈ જતું જોઈ ભક્તો હિબકે ચઢ્યા હશે. હિડનંબર્ગ પર તો અદાણીનો સાથ આપ્યો પણ આ કોંગ્રેસને પૈસા પહોંચાડતા ટેમ્પોને કેમ કરી બચાવવો? આ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ભગવાન ભક્તોની પરીક્ષા લે એ સાંભળ્યું તું આજે પ્રત્યક્ષ દેખાયું.મોદી સમર્થકોને થતું હશે કે ટેમ્પો પૈસા અને કોંગ્રેસ સુધી ઠીક હતું બસ ડ્રાંઇવર બદલી નાખવાનો હતો, જેમાં સાહેબે ચુકી ગયાં. અદાણીના બદલે કોઈ અદનાન કે અંબાણીના બદલે અબ્દુલ હોત તો માત્ર ટેમ્પો નહિ આખો દેશ સળગાવી દેત પણ આ તો આખો મામલો જ 'ઘર કા ભેંદી ટેમ્પો લાયે ' તેવો છે.
કોંગ્રેસ હંમેશા અદાણી અને અંબાણીના મિત્ર તરીકે નરેન્દ્ર મોદીને લોકો વચ્ચે પ્રસ્થાપિત કરતી આવી છે. મોદીસરકાર આ બેઉ ધનપતીઓના નિયંત્રણમાં હોવાનો અને દેશના સંસાધનો તેમને વેચી નાખવાના આરોપ કોંગ્રેસ સડકથી લઇ સંસદ સુધી કરતી આવી છે. પરંતુ તમામ આરોપો ઉપર મોદીજીએ ક્યારેય પ્રતિક્રિયા આપી નથી એટલુંજ નહિ અદાણી કે અંબાણી શબ્દ સુંદ્ધા જીભ પર ના આવે એનુ વિશેષ ધ્યાન રાખ્યું છે. તો હવે રાહુલ ગાંધીને કઠેડામાં ઉભા કરવાં અદાણી -અંબાણીના ખભે બંદૂક કેમ મુકાઈ એ યક્ષ પ્રશ્ન છે.
વડાપ્રધાન જુઠ્ઠુ બોલે જ નહીં, એમણે કીધું છે તો ટેમ્પો પહોંચ્યોજ હશે. સવાલ એટલો જ છે કે તપશ્ચર્યામાં ક્યાં કસર રહી કે ટેમ્પો ખોટા એડ્રેસ પર પહોંચ્યો. કુલડી માં ગોળ ભગાતો સાંભળ્યો છે કોથળામાં ભરોસાનો ભુક્કો થતો હવે જોયો. દોસ્ત દોસ્ત ના રહા... ટેમ્પો સાથ ના રહા... તેમ શ્રી ઠુમરે જણાવ્યું હતું

નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.