ધોલેરા તાલુકાના ભડિયાદ ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું. - At This Time

ધોલેરા તાલુકાના ભડિયાદ ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું.


અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના ભડિયાદ ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું.
રૂપાલા ના વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે ગામમાં ભાજપના કાર્યકરો એ પ્રચાર માટે આવવું નહીં ના બેનરો લાગ્યા.

રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજ ની મહિલાઓ બાબતે કરેલ ટિપ્પણી નો વિરોધ દિવસે દિવસે આક્રમક બનતો જાય છે આજે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું આગમન થતાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો સહિત અન્ય સમાજના લોકોએ પણ ધર્મ રથનું સ્વાગત કર્યું અને કુળદેવી ભવાની મંદિર ખાતે સભાનું આયોજન થયું જેમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા, સમાજના ઉપપ્રમુખ મહાવીર સિંહ તથા અનિરુદ્ધ સિંહ ચુડાસમા ઓમ ટ્રસ્ટના પ્રમુખ સુરપાલસિંહ ચુડાસમા હરપાલસિંહ ચુડાસમા સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા અને ગામમાં બેનર પણ લગાવવામાં આવ્યું હતું કે રૂપાલા ની ટીપ્પણી થી
ક્ષત્રિય સમાજ નારાજ હોય ભાજપના કોઈ કાર્યકરોએ ભડીયાદ ગામમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.