વડનગર થી હાટકેશ્વર મહાદેવ મંદિર નું પવિત્ર જળ શ્રી રામ મંદિર ની પ્રાણ મહોત્સવ નિમિત્તે નમો સેના વડનગર ના યુવાનો અયોધ્યા જવા રવાના - At This Time

વડનગર થી હાટકેશ્વર મહાદેવ મંદિર નું પવિત્ર જળ શ્રી રામ મંદિર ની પ્રાણ મહોત્સવ નિમિત્તે નમો સેના વડનગર ના યુવાનો અયોધ્યા જવા રવાના


વડનગર થી હાટકેશ્વર મહાદેવ મંદિર નું પવિત્ર જળ શ્રી રામ મંદિર ની પ્રાણ માટે નમો સેના વડનગર ના યુવાનો અયોધ્યા જવા રવાના

મોદી સાહેબના વડનગરથી શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનુ પવિત્ર જળ‌ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા માટે સમર્પિત કરવા નમો‌ સેના વડનગરના યુવાનો અયોધ્યા જવા રવાના થયા

શ્રી સોમાભાઈ મોદી સહિત ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ તથા સાંસદ શ્રી શારદાબેન પટેલ સહિત ગુજરાતના અનેક નેતાગણે નમો સેના તથા વડનગરના આ યુવાનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી*

જાણવા મળતી માહિતી મુજબ આદી અનાદી કાળથી ઐતિહાસિક નગરી તરીકે જાણીતું વડનગર એટલે વર્તમાન સમયમાં ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનુ વતન અહીં નાગર નક્ષત્રિય અને નાગની કર્મ ભૂમિ તરીકે પ્રખ્યાત છે એક લોકવાયકા મુજબ સ્વયં ભુ શિવલિંગ એટલે હાટકેશ્વર મહાદેવ મંદિર અને બીજું નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું વિવાહ વડનગર થયેલ ભગવાન શ્રી વિષ્ણુએ શામળશા શેઠ બનીને કુંવર બાઈનું મામેરું ભર્યું હતું ત્યારે ૩૬૫ કુવાઓ ૩૬૫ તળાવો ૩૬૫ વડલાઓ ૭ વાવનું નિર્માણ થયું હતુ અહીં કુંવરબાઈનું મામેરું પ્રસંગે શેઠ શામળશા જી ખુદ ભગવાન વિષ્ણુ એ દ્વારા શ્રી કૃષ્ણના ભાઈ શ્રી બલરામ ભગવાન અને રેવતી માતા સાથે અનેક દેવ દેવીઓને ઉતારા આપવામાં આવ્યા હતા એવો પણ ઇતિહાસ છે
જ્યારે બીજી તરફ સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરનાર આદરણીય લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કુળદેવી શ્રી વારાહી માતાજીનું મંદિર તથા ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનું જળ પણ એટલું જ પ્રવિત્ર છે જેટલું જળ ગંગા મૈયાનું જળ છે સમગ્ર વિશ્વ આજે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેક ભેટ સોગાદ અને શ્રધ્ધા વિશ્વાસ સાથે અયોધ્યા આવી રહ્યા છે જ્યારે વડનગરના પનોતા પુત્ર આપણા સૌના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી એમના પવિત્ર હસ્તે ભગવાન શ્રી રામ જીની મુર્તિ નું પૂજન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હોય ત્યારે ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનુ આ પવિત્ર જળ‌ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા માટે સમર્પિત કરવા માટે વડનગર થી નમો સેના સંગઠનના યુવાનો રાજેશભાઈ દેવેન્દ્રભાઈ નાયક, સાંઈકિરણભાઈ નરેશકુમાર બારોટ, પ્રકાશભાઈ સોલંકી, પૂજન ભાઈ રાકેશભાઈ બારોટ, કનુભાઈ ગોપાલભાઈ બારોટ, રતનજી ગોડાજી ઠાકોર સાથે નમો સેના ના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી અયોધ્યા જવા રવાના થયા છે ત્યારે સમગ્ર વડનગરની જનતા તથા શ્રી સોમાભાઈ મોદી સાહેબ સહિત વર્તમાન ધારાસભ્ય શ્રી તથા સાંસદ શ્રીએ પણ આ યુવાનોના કાર્યને બિરદાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.