રાજકોટ રામનાથ મંદિરે શાસકોએ રવિવારે સાફ કરેલી ગંદકી વધી, સ્થાનિકે કહ્યું- નેતાઓ છાપામાં ફોટા છપાવી દેખાડા કરે - At This Time

રાજકોટ રામનાથ મંદિરે શાસકોએ રવિવારે સાફ કરેલી ગંદકી વધી, સ્થાનિકે કહ્યું- નેતાઓ છાપામાં ફોટા છપાવી દેખાડા કરે


વડાપ્રધાનની અપીલને પગલે રાજકોટ મનપાનાં શાસકો દ્વારા રવિવારે શહેરનાં રામનાથ મહાદેવ મંદિર ખાતેથી મંદિર સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ તકે સાંસદ, ધારાસભ્ય તેમજ મેયર સહિતનાએ આ મંદિર સહિત શહેરનાં 700 જેટલા મંદિર આસપાસ સફાઈનો વાયદો કર્યો હતો. જોકે આ અભિયાન માત્ર ફોટો સેશન માટેનું હોય તેમ આજે ત્રીજા દિવસે જ રામનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકી યથાવત હતી. જેને લઈને આ મંદિરે નિયમિત દર્શન માટે આવતા ભાવિકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી. અહીં કોઈ સ્વચ્છતા ઝુંબેશ નહીં, પરંતુ સફાઈનું નાટક ભજવાયું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.