મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ખાતે ભાગવત સપ્તાહ અને ગુરુ વંદના મહોત્સવ કાર્યક્રમ સમાપન કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tubwtdps3p2o3eew/" left="-10"]

મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ખાતે ભાગવત સપ્તાહ અને ગુરુ વંદના મહોત્સવ કાર્યક્રમ સમાપન કરવામાં આવેલ


મેંદરડા ખાખી મઢી રામજી મંદિરે ભાગવત સપ્તાહ અને ગુરુ વંદના મહોત્સવ કાર્યક્રમ સમાપન કરવામાં આવેલ
મેંદરડા સ્થિત ખાખી મઢી રામજી મંદિર ના બ્રહ્મલીન મહંત શ્રી.પ.પૂ. રામ કિશોર દાસ બાપુ નો ભવ્ય ભંડારો અને ગુરુ વંદના મહોત્સવ અંતર્ગત સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શાસ્ત્રી શ્રી.ડો. મહાદેવ પ્રસાદ મહેતા ના યાસાસને ભવ્ય આયોજન મહંત શ્રી સુખરામદાસબાપુ અને સમગ્ર દાતાશ્રીઓ સેવક પરિવાર સહિતનાઓ દ્વારા તા.૧૧/૩ થી તા.૧૭/૩ દરમિયાન સાત દિવસનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાયેલ હતો જેના આજે સાતમાં અને અંતિમ દિવસે તમામ કાર્યક્રમ સમાપન કરવામાં આવેલા હતા
આ ગુરુ વંદના મહોત્સવ કાર્યક્રમ ના અંતિમ દિવસે વક્તા શ્રી મહાદેવ પ્રસાદ મહેતા અને મહંત શ્રી સુખ રામદાસ બાપુ નુ મેંદરડા ના નગરજનો,સેવાકીય સંસ્થાઓ દરેક ધર્મના સંતો મહંતો દરેક સમાજના મંડળો,મેંદરડા અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ સમીતીઓ સહિતનાઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું અને આ સાત દિવસ ના કાર્યક્રમ માં સહભાગી થનાર વિવિધ ક્ષેત્રના સંતો મહંતો દરેક સમાજના લોકો વિવિધ ધાર્મિક સમિતિઓ વિવિધ મંડળો સહિતનાઓનું પણ આતંકે સન્માન કરવામાં આવેલું હતું કથાના અંતિમ ચરણમાં ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો,વૃદ્ધો બાળકો સહિતનાઓએ કથા નો લાભ લીધેલ હતો અને આજે બપોરે સમસ્ત ગ્રામજનોએ પ્રસાદીનો લાભ લીધેલ હતો
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]