બાપા સીતારામ ચોક નજીક શ્યામ નર્સરીના માલિકે ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું, આપઘાતનું કારણ અકબંધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rotbeadiqs6drygt/" left="-10"]

બાપા સીતારામ ચોક નજીક શ્યામ નર્સરીના માલિકે ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું, આપઘાતનું કારણ અકબંધ


શહેરના પોશ વિસ્તાર ગણાતા રૈયા ચોકડી પાસે એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, રાજકોટ શહેરના રૈયાચોકડી નજીક આવેલા બાપા સીતારામ ચોક ખાતે આવેલી શ્યામ નર્સરીમાં એક વ્યક્તિએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. શ્યામ નર્સરીના માલિકે નર્સરી અંદર જ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આજે બપોરના સમયે આ બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસને સમગ્ર બાબતની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]