મેંદરડા ના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ગણપતિ સ્થાપના દરમ્યાન મહિલા મંડળ દ્વારા ગણપતિ દાદા ને છપ્પન ભોગ અને મહા આરતી નું આયોજન કરવામાં આવેલ - At This Time

મેંદરડા ના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ગણપતિ સ્થાપના દરમ્યાન મહિલા મંડળ દ્વારા ગણપતિ દાદા ને છપ્પન ભોગ અને મહા આરતી નું આયોજન કરવામાં આવેલ


મેંદરડા ના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન ગણપતિ દાદા ને છપ્પન ભોગ અર્પણ કરી મહા આરતી કરવામાં આવેલ
આ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયત ના નવનિયુક્ત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને તાલુકા પંચાયતના પ્રમુખ દિપકભાઈ મકવાણા નુ સન્માન કરવામાં આવ્યું

મેંદરડા ના કૃષ્ણનગર સોસાયટી ના સ્વામિનારાયણ મંદિર ના પટાંગણ માં સ્વામિશ્રી ભક્તિ પ્રકાશદાસજી ની ઉપસ્થિતી મા મહીલા મંડળ ની બહેનો દ્વારા છપ્પન ભોગ અન્નકોટન અને મહા આરતી નુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહિલા મંડળ ની બહેનો દ્વારા વોર્ડ નંબર ૧૮ ગ્રા.પંના સદસ્ય કિર્તીબેન ઢેબરિયા, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર, તાલુકા પ્રમુખ દીપક મકવાણા, સહીત નુ ફુલહાર પહેરાવી સાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગ્રા.પં.ના સરપંચ જે.ડી.ખાવડું, ઉપ-સરપંચ ચંદ્રેશભાઈ ખુંટ,મંદિર ના કારભારી જગદીશ ચાવડા અને મંદિર ના પુજારી મનિષ પુરોહિત નુ પણ આ તકે મંડળ ના ભાઈઓ દ્વારા ફુલહાર અને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો સહીત ભાવિકો એ અન્નકોટના દર્શન અને પ્રસાદી ગ્રહણ કરી ને ધન્યતા અનુભવી હતી
રીપોંટીગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.