એલ આઈ સી વડનગર શાખા ના એજન્ટો દેશવ્યાપી અસહકાર અાંદોલનજોડાયાઅને સરકાર સામે સુત્રો ચ્ચાર થી વિરોધ કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/psbi0htsiithno0r/" left="-10"]

એલ આઈ સી વડનગર શાખા ના એજન્ટો દેશવ્યાપી અસહકાર અાંદોલનજોડાયાઅને સરકાર સામે સુત્રો ચ્ચાર થી વિરોધ કર્યો


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ખાતે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ૧૦થી સાંજ ના૫ વાગ્યા સુધી દરેક બ્રાન્ચ માં ઘારણા પ્રદશૅન નવા વ્યવસાય કે રિન્યુઅલ તેમજ પોલિસી સર્વિસીંગ ના બહિષ્કાર કરવામાં આવ્યો આવ્યો આગામી દિવસોમાં પણ આ આંદોલન ચાલુ રહે છે તેથી એલ.આઈ.સી એજન્ટ એસોસીએશન વડનગર શાખા ના એજન્ટ મિત્રો દેશવ્યાપી અસહકાર અાંદોલન જોડાયા તેમાં એજન્ટો માટે ની ગ્રેજયુઈટી ૨૦લાખ,૨૦૧૩થી૨૦૧૬ની IRDAI ગેઝેટ અનુસાર કમિશન માં ફેરફાર કરો, ગ્રુપ મેડિક્લેમ ઈન્સ્યોરન્સ દરેક એજન્ટ માટે આપો અને તેના પરિવારને પણ સામેલ કરો, કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ રજૂ કરો, ક્લબએડવાન્સિસ માં વધારો માટે ની પ્રક્રિયા ઓ તત્કાલીક અમલમાં મુકો,ગ્રુપ ટર્મ ઈન્સ્યોરન્સ વધારો, ડાયરેક્ટર એજન્ટોને વધારાના લાભો આપો, બાળકો ના એજયુકેશન માટે એડવાન્સ ચાલુ કરો, ક્લબ મેમ્બર એજન્ટો માટે હાઉસિંગ લોન ૫ ટકા વ્યાજ દરે મળવી જોઈએ, એજન્ટો વેલ્ફેર ફંડ બનાવો, ભારત સરકાર વીમા એજન્ટો "પ્રોફેશનલ "વ્યવસાય જાહેર કરો, CLIA તરીકે ૫વર્ષ પૂર્ણ કરનાર કલબ એજન્ટોને પોતાના ક્લબ રીલેકક્ષેસન આપો, તમામ એડવાન્સ અને લોન આપતી વખતે CLIA દ્રારા કમાયેલી આવકને ઘ્યાનમાં લો,
એવી માંગણીઓને લઈ ને એલ. આઈ સી વડનગર શાખા ના તમામ એજન્ટો દેશવ્યાપી અસહકાર અાંદોલન જોડાયા હતા અને સરકાર નીતીઓ સામે સૂત્રોચ્ચાર કરી ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આજે વડનગર શાખા સવાર ૧૧થી સાંજ ૫ વાગ્યા સુધી એલ.આઈ.સી ના પરિસરમાં એજન્ટો આવી ને સરકાર નીતી સામે વિરોધ પ્રદર્શન અને દેશ ની તમામ એલ.આઈ.સીઓફિસ ના પરિસરમાં દેશના તમામ એલ.આઈ.સી એજન્ટો ઓફિસ વર્ક અને કોઈ પણ પોલીસ મુકવામાં નહીં આવે પ્રીમિયમ પણ નહીં ભરે ઓફિસમાં લેવડદેવડ પણ નહીં કરે એજન્ટો આજે કામકાજ નો બહિષ્કાર કર્યો છે અને આગામી દિવસો માં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવા માટે રૂપરેખા ખૂબ જોશ પૂર્વક તૈયાર કરી રહ્યા છે
પોલિસી ઘારકો માટે માંગણી ઓનું ચાર્ટર તૈયાર કરવામાં આવે તો પોલીસ ધારકો ને તકલીફ ના પડે તે માટે એજન્ટો પણ સરકાર સામે માંગણી ઓ મુકી છે. પોલિસી ધારકો ના બોનસ વધારો, પોલિસી લોન અને અન્ય નાણાંકીય વ્યવહારો પર ના વ્યાજ દરમાં ઘટાડો કરો,દરેક ગ્રાહકો ને કાર્યક્ષમ સેવા આપો,દરેક સર્વિસ માટે સબમિટ કરેલા દસ્તાવેજોની એક્નોલેઝમેન્ટ સીલ્પ આપો, પાંચ વર્ષ વઘુ સમય વીતી ગયેલી પોલિસીઓને રિવાયવલ કરવાની સુવિધા આપવામાં આવશે, પોલિસી ધારકો ના દાવો ન કરેલી રકમ સામાજિક સુરક્ષા યોજના માં ટ્રાન્સફર થવી જોઈએ નહીં, સિટીઝન ચાર્ટર દરેક શાખામાં આગવી રીતે દર્શાવવું જોઈએ, પોલિસી ધારકો પાસેથી ફીટબેક મેળવવા માટે રેટિંગ સીસ્ટમ દાખલ કરવી જોઈએ, સમાન ગ્રાહકો ના દરેક વ્યવહાર માટે KYC ધોરણની માંગ કરવાનું બંધ કરો, પોસ્ટ ઓફિસમાં થતી પોલિસી બંધ કરો અને જૂની પ્રક્રિયા પુનઃ સ્થાપિત કરો, સીંગલ વિન્ડ સર્વિસ ચાલુ કરો,વીમા પોલિસી પર ના GSTહટાવવો.

દેશવ્યાપી અસહકાર અાંદોલન માં એલ. આઈ.સી એજન્ટો ની ૧૨ જેટલી માંગણીઓ છે અને તેની સાથે ૧૨ જેટલી પોલિસી ઘારકો ની માંગણી ઓ લઈ ને એલ.આઈ.સી એજન્ટો એ દેશવ્યાપી અસહકાર અાંદોલન શરૂ કરવામાં આવ્યું છે તો આ સરકાર એલ.આઈ.સીના એજન્ટોની માંગણી પુરી કરશે ખરાં તે પ્રશ્ન ના ઉદભવે છે અને જો આ પ્રશ્ન નુ નિરાકરણ નહીં આવે આ ઉગ્ર વિરોધ સાથે આંદોલન આગળ વધશે. એલ આઈ સી ના એજન્ટ રુધનાથ ભાઈ ઓઝા તથા એજન્ટ જગદીશ પંડ્યા દેશવ્યાપી અાંદોલન વિશે વધુ માહિતી આપતા હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]