૧૪ મી એપ્રિલ ડો.ભીમરાવ આંબેડકર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિતે રમત ગમત નો પ્રોગ્રામ રાખેલ છે - At This Time

૧૪ મી એપ્રિલ ડો.ભીમરાવ આંબેડકર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિતે રમત ગમત નો પ્રોગ્રામ રાખેલ છે


વિપાર્ક સો.ના સભ્યોને જણાવતા આનંદ થાય છે કે આવનારા દિવસોમાં આપણા ભારત દેશના ભારત રત્ન, દલિત વંચિતો ના મસિહા ડો.ભીમરાવ આંબેડકર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તા.4/4/24 ના રોજ કમિટીની મીટીંગ મળેલ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં 14 મી એપ્રિલ ની ઉજવણી માટે સોસાયટીના છોકરા છોકરીઓ માટે રમત ગમત નો પ્રોગ્રામ રાખેલ છે એમાં આયોજક તરીકે ઉદયભાઇ રાઠોડ,રાજુભાઈ બેન્કર, ભાવસિંગભાઈ ચાવડા, જગદીશભાઈ આસોડિયાની સાથે અન્ય જવાન છોકરાઓ આ ઉત્સવમાં સાથ સહકાર આપશે. અને આ ઉત્સવનું ઉઘરાણું સ્વેચ્છાએ એ લેવામાં આવે છે. સોસાયટીના દરેક સભ્યોએ ઉઘરાણું ઉપરના ચાર સભ્યોમાંથી કોઈને પણ આપે અને દરેક સભ્યો સાથ સહકાર આપે..રમતગમત માં ક્રિકેટ,લીંબુ ચમચી,કોથળા દોડ, ડાન્સ,બાબા સાહેબ માટે સ્પીચ સમય મર્યાદામાં કરવામાં આવશે
(પ્રોગ્રામ 13/04/24)લી. ચેરમેન જગદીશ. કે અસોડીય ....... રીપોર્ટ દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.