હવે દહેગામ ના બાપુઓ બગડ્યા.રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપી ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી. - At This Time

હવે દહેગામ ના બાપુઓ બગડ્યા.રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપી ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી.


ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ સમવાનું નામ નથી લેતો ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ટિકિટ રદ કરવા માટે રેલી તથા આવેદન પત્ર આપી વિવિધ પ્રકારે આંદોલન કરીને વિરોધ દર્શાવ્યો છે ત્યારે આજે સમગ્ર દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા એક વિશાળ રેલી નું આયોજન કરી રૂપાલા વિરુદ્ધ સુત્રોચાર કરી દહેગામ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા તાત્કાલિક રાજકોટ બેઠક પર ચૂંટણી લડી રહેલા પુરષોતમ રૂપાલા ને ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર વાણી વિલાસ કરનારને તાત્કાલિક ટિકિટ રદ કરવાની માંગ સાથે રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા હતા.દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા હજુ જો આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવે તો દહેગામ સજ્જડ બંધનું એલાન તેમજ આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.