રાજકોટ બન્યું મોદીમય: વ્હોરા સમાજના આગેવાન હોજેફાભાઈ દ્વારા આવકાર - At This Time

રાજકોટ બન્યું મોદીમય: વ્હોરા સમાજના આગેવાન હોજેફાભાઈ દ્વારા આવકાર


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં આગામી તા. ૨૫ ને રવિવારના રોજ દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે ત્યારે રાજકોટ શહેર મોદીમય બની ગયું છે આ અંગે દાઉદી વ્હોરા સમાજના સેવાભાવી આગેવાન હોજેફાભાઈ શાકીર એ દેશનાં પનોતા પુત્ર નરેન્દ્રભાઈના રાજકોટ આગમનને દિલથી આવકાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના કેટલાંય ગામોમાં અબજો રૂપિયાના વિકાસના કામોના ખાત મુહુર્ત અને લોકાર્પણ કરશે જેના થકી લાખો લોકોને રાહત મળશે આવા મહામાનવને આવકારવા માટે રાજકોટ શહેરના તમામ સમાજનાં લોકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હોજેફાભાઈ શાકીર એ વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈની જાહેરસભા અને રોડ શો રવિવારે રાજકોટમાં થઈ રહ્યો છે ત્યારે તેમની એક ઝલક પામવા માટે ચોમેર જનમેદની ઉમટી પડશે આ અંગે તંત્ર સજજ થયું છે નરેન્દ્રભાઈની લોકોને સુવિદ્યા મળે એવી શુદ્ધ ભાવનાના કારણે રાજકોટમાં ટોપ થી બોટમ સુધીની સુવિધા અબજો રૂપિયાના ખર્ચે મળી છે તેથી તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અત્રે નોંધનીય છે કે આ લખાય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાતને કારણે ટોચના તંત્રના અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ શહેરમાં ત્રણ દિવસથી ધામા નાખ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.