શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શૃંગાર એવં મીઠાઈનો અન્નકૂટ, વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞની પૂર્ણાહુતી - દિવ્ય સત્સંગનું સમાપન કરવામાં આવેલ - At This Time

શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શૃંગાર એવં મીઠાઈનો અન્નકૂટ, વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞની પૂર્ણાહુતી – દિવ્ય સત્સંગનું સમાપન કરવામાં આવેલ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.27-08-2022ને શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચાંદીનાવાઘાનો ફૂલોનો દિવ્ય શૃંગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાને બપોરે ૧૧.૧૫ કલાકે મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો હતો. અન્નકૂટ આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. બપોરે ૧૨.૦૦ કલાકે પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞની પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ-પૂજા પાઠ દ્વારા પૂર્ણાહુતી કરવામાં આવેલ. તેમજ દિવ્ય સત્સંગનું પણ સમાપન કરવામાં આવેલ.
સાંજે ૫:૩૦ કલાકે ષોડશોપચાર દાદાનું ભવ્ય પૂજન-અભિષેક-પુષ્પભીષેક કરી સાંજે ૭ કલાકે મહાઆરતી કરવામાં આવેલ. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.