લાકડિયા કુમાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક સ્ટાફ દ્વારા શાળા ના બાળકો ને દર મહિને તિથિ ભોજન આપવા માં આવી રહયું છે - At This Time

લાકડિયા કુમાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક સ્ટાફ દ્વારા શાળા ના બાળકો ને દર મહિને તિથિ ભોજન આપવા માં આવી રહયું છે


લાકડિયા કુમાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષકો દ્વારા શાળા ના બાળકો ને તિથિ ભોજન આપવા માં આવી રહયું છે . જે શાળા ના આચાર્ય શ્રી તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા તિથિ ભોજન ની શરૂઆત દર મહિને એક શિક્ષક દ્વારા આપવામાં આવશે તેવું અગિયાર શિક્ષક સ્ટાફ દ્વારા નક્કી કરવામાં આવ્યું જેમાં શાળા માં અગિયાર જણ નો સ્ટાફ અને અગિયાર મહિના વારા ફરતી દર મહિને તિથિ ભોજન આપવામા આવશે આ વખતે શાળા ના શિક્ષિકા બેન શ્રીમતી લતાબેન પરમાર દ્વારા તિથિ ભોજન આપવામા આવ્યું

લાતબેન પરમાર ૧૯૮૬ થી શાળામાં ફરજ બજાવે છે એમનું સમગ્ર જીવન એક જ શાળામાં શિક્ષણ કાર્ય સાથે પસાર થયું છે.

તેઓ સતત ૩૬ વરસથી એક જ શાળામાં ફરજ બજાવે છે.

આ અગાઉ રાજવીરભાઈ વાઘડિયા અને મહેશભાઈ પંડ્યા સાહેબ દ્વારા તિથિ ભોજન આપવામાં આવેલ છે.

વેકેશન બાદ કરી તમામ મહિનાઓમાં તિથિભોજન આપી બાલ દેવો ભવ: ની સંકલ્પના સાર્થક બની રહી છે.જે પ્રસંગે સી.આર.સી, તેમજ શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના આચાર્ય શ્રી પ્રવીણભાઈ મચ્છોયા સાહેબ એ સૌ નો આભાર માની બાળકો પાસે થી સ્વચ્છતા જાળવવા માટે ના શપથ કર્યા સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું

અહેવાલ : પ્રકાશ શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો:9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.