હોળી-રંગોત્સવની સાળંગપુરધામ ખાતે ચાલતી તડામાર તૈયારીઓ ‘નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે સાળંગપુરધામ’ - At This Time

હોળી-રંગોત્સવની સાળંગપુરધામ ખાતે ચાલતી તડામાર તૈયારીઓ ‘નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે સાળંગપુરધામ’


સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 25 માર્ચે એટલે કે, ધૂળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે જેની તડામાર તૈયારીઓં ચાલી રહી છે ત્યારે દાદાને હોળી (પૂર્ણિમા)ના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે દાદાને રંગ ધરાવાયા છે શ્રી સાળંગપુરધામમાં યોજાઇ રહેલા ગુજરાતના સૌથી મોટા ભવ્ય રંગોત્સવમાં હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર સાત કલરના ૫૧,૦૦૦ કિલો રંગોનો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે.સાત પ્રકારના સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે અને એકદમ નેચરલ પાઉડર કલર ઉપયોગ કરવામાં આવશે. જેની આપણા શરીર પર કોઈ નેગેટિવ ઇફેક્ટ નહિ પડે ખાસ કરીને આ રંગોત્સવને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલનો 60 ઢોલીઓનો સેટ ઢોલના તાલે હજારો લોકોને નચાવશે અને ધબધબાટી બોલાવશે આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મંદિર પરિસરને કલરફુલ કાપડથી સુશોભન કરવામાં આવ્યું છે ત્યારે ૨૫ માર્ચે 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવશે. અને એ લગભગ લગભગ 60 થી 70 ફૂટ જેટલા ઊંચા જશે અને મંદિર પ્રાંગણમા રહેલા તમામ ભક્તો પર એ બ્લાસ્ટ દ્વારા કલર ઉડાડી ભવ્ય સેલિબ્રેશન કરાશે દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ લગભગ ૧૦,૦૦૦ કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવશે પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી એવમ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં - દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ ભવ્ય હોળી ઉત્સવ 2024 ખૂબ જ આધ્યાત્મિક અને ભવ્યતાથી ઉજવાશે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે - સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધારશે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતો અને 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.