વર્ષાવાસ અંતર્ગત "રાજગૃહ" બોટાદ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ - At This Time

વર્ષાવાસ અંતર્ગત “રાજગૃહ” બોટાદ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ


ગઈકાલે તારીખ.૩/૮/૨૦૨૨ ના રોજ રાત્રે ૯ વાગે ભારતીય બૌદ્ધ મહાસભા ના જિલ્લા અધ્યક્ષ. પરેશભાઈ રાઠોડ ના નિવાસસ્થાન "રાજગૃહ" કૈલાશનગર ખસ રોડ બોટાદ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં ભારતીય બૌદ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં તથાગત ગૌત્તમ બુદ્ધના માનવતાવાદી અને સૃષ્ટિના સમગ્ર જીવનું કલ્યાણ કરનાર મહાન ધમ્મને વધુ વેગ આપીને લોકોનાં કલ્યાણ માટે કામ કરવા માટે અને બૌધ્ધ ધર્મમાં વર્ષાવાસ નું ખુબજ મહત્વ હોય છે બોટાદ જિલ્લામાં પણ વર્ષાવાસ શરૂ કરીને લોક હિતના કાર્ય કરવા માટે એક અગત્યની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ આ મિટિંગમાં હાજર રહેનાર પરેશભાઈ રાઠોડ(જિલ્લા અધ્યક્ષ બોટાદ.ભારતીય બૌદ્ધ મહાસભા) વિઠ્ઠલભાઈ બોળીયા (જિલ્લા મહાસચિવ.ભારતીય બૌદ્ધ મહાસભા) સુનિલભાઈ ચાવડા (રિયાયંસ ગેસ એજન્સી બોટાદ) પ્રવિણભાઇ વાઘેલા (જિલ્લા ઉપાધ્યક્ષ) હરેશભાઇ પરમાર (જી.ઈ.બી.કર્મચારી બોટાદ) હરેશભાઇ ચૌહાણ (શહેર અધ્યક્ષ બોટાદ.ભારતીય બૌદ્ધ મહાસભા) ભરતભાઈ ધાધલ.પ્રિતેશ ચાવડા(અધ્યક્ષ બોટાદ યુવા ભીમસેના) રાહુલભાઈ ચાવડા.દેવજીભાઈ ચાવડા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને વર્ષાવાસ શરૂ કરવા માટે મંતવ્યો રજૂ કરવામાં આવેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.