રાંધેજામાં દાઋડીયાઓના ત્રાસથી આંગણવાડી અન્યત્ર ખસેડવા રજૂઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kfsgl7yerolrh9nz/" left="-10"]

રાંધેજામાં દાઋડીયાઓના ત્રાસથી આંગણવાડી અન્યત્ર ખસેડવા રજૂઆત


કોર્પોરેશન જૂની આંગણવાડી તોડીને નવી બનાવી રહી છે ત્યારે સ્થાનિકોની બાળકોના ભવિષ્ય માટે કમિશનરને માંગણી

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રાંધેજા ગામમાં ઉગમણી ભાગોળે શીરવીવાસ પાછળ બનાવવામાં આવી રહેલી નવી આંગણવાડી અન્યત્ર જગ્યાએ બનાવવા માટે સ્થાનિકોએ માંગણી કરી છે કેમકે અહીં દાઋડિયાઓના અડ્ડાઓને કારણે બાળકોના ભવિષ્ય ઉપર જોખમ ઊભું થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આમ તો દાઋબંધી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તેટલો દાઝ સરળતાથી મળી રહેતો હોય છે ત્યારે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ એવા રાંધેજા ગામમાં દાઋડિયાઓના ત્રાસને કારણે સ્થાનિકો દ્વારા આંગણવાડીના અન્ય સ્થળે ખસેડવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, ઉગમણી ભાગોળે આવેલ શીરવી વાસના પાછળ આંગણવાડી આવી છે તેની આસપાસમાં દાઋડિયાઓનો ત્રાસ છે. પાછળના ભાગે તેમજ વાડી અને મકાનોની વચ્ચે ખુલ્લી જગ્યામાં દાઋડિયાઓ બેસતા હોય છે. આ સ્થિતિને કારણે આસપાસના રહેતા નાગરિકોને પણ આ દાઋડિયાઓનો ત્રાસ ભોગવવાનો વારો આવે છે. એટલું જ નહીં અહીં આવતા નાના બાળકોના ભવિષ્ય ઉપર પણ જોખમ ઊભું થાય તેમ છે. હાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]