સાણંદમાં વિશ્વ કલ્યાણ એવં શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો - At This Time

સાણંદમાં વિશ્વ કલ્યાણ એવં શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો


અમદાવાદ જિલ્લાનાસાણંદમાં વિશ્વ કલ્યાણ એવં શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
ભારતીય સંસ્કૃતિનો જય ઘોષ કરવા સાણંદના આંગણે વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ ૧૦૮ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું પવિત્ર આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની સાણંદ શાખાના યજમાન પદે યોજાઈ ગયું.રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત આ મહાયજ્ઞમાં દેશની એકતા અને અખંડિતતા માટે સૌને સહભાગી થવા માટે ગાયત્રી પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ અપાયું હતું.આ ગાયત્રી મહાયજ્ઞ માટે વીર શહીદ મહિપાલસિંહ વાળાના નામથી કાર્યાલયનું ઉદઘાટન અને ભૂમિપૂજન 15 ઓગસ્ટના રોજ અન્ન પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનાં હસ્તે કરાયું હતું.આ મહાયજ્ઞમાં પરમ પૂજ્ય ર્ડા.ચિન્મય પંડ્યાજી જેઓ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના વાઈસ ચાન્સેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સાણંદ એ.પી.એમ.સી.ખાતે કરાયું હતું.
આ મહાયજ્ઞનું નામ જ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ છે જે સ્વયં જ રાષ્ટ્ર ભક્તિથી ઓતપ્રોત છે માટે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાયો હતો સાથે ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું.આ મહાયજ્ઞમાં વ્યવસ્થાના અધ્યક્ષ તરીકે સ્વાતંત્ર સેનાની દશરથભાઈ પટેલ (દશુકાકા) અને વ્યવસ્થા વિભાગના મંત્રી સાગરસિંહ વાઘેલા,આ મહાયજ્ઞમાં મુખ્ય યજમાનના રૂપે શહીદ પરિવારના કુટુંબીજનો તથા પૂર્વ સૈનિક પરિવારજનો બિરાજમાન હતા.
જેમાં 9 સપ્ટેમ્બરને શનિવારના રોજ 1008 કળશ યાત્રા હજારી માતાના મંદિરેથી નીકળી જેમાં સંતો મહંતોને બગીમાં બેસાડીને કળશનું પૂજન કરી પોથી,ફુલગરબા તેમજ રાષ્ટ્ધ્વજ અને ભગવાધ્વજ સાથે ઢોલ નગારા સાથે સાણંદના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં નગરજનોએ પુષ્પ વરસાવી ભવ્ય સ્વાગત કરીને સાણંદને રાષ્ટ્ભક્તિ અને ભગવામય બનાવ્યું હતું આ શોભયાત્રામાં સંતોમાં જૂનાગઢના દશનામ જુના અખાડાના ગિરનારી બાપુ,કિન્નર અખાડાના મહામંડલેશ્વર સ્વીટુ માતાજી,માણકોલના સંત જોગીબાબા અને ગાયત્રી મંદિરના સંત સૂર્યાદેવીજીની પાવન ઉપસ્થિતી હતી.
10 સપ્ટેમ્બરને રવિવારના રોજ ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થયો સાથે ડો.ચિન્મય પંડયાજીનું 108 શંખનાદના બ્રહ્મનાદથી સામેયું કરીને સ્વાગત કરાયું હતું. તેમજ ડૉ.ચિન્મય પંડ્યાના હસ્તે વિશિષ્ટ મહાનુભાવોને સાહિત્ય ક્ષેત્રે કરેલ સેવા બદલ લોકસેવા શિખર સન્માન આપવામાં આવ્યું હતું તેમજ નારી તું નારાયણી વિષય અંતર્ગત નારી સંમેલન યોજાયું હતું ત્યારબાદ સાંજે 108 કુંડ પર દીપ પ્રગટાવીને સુંદર રાષ્ટ્ જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ નામ લખીને દીપ પ્રજ્વલન કરી દીપયજ્ઞ યોજાયો હતો
11 સપ્ટેમ્બરને સોમવારના રોજ ગર્ભ સંસ્કાર અને મંત્રદીક્ષા કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ યજ્ઞના પુર્ણાહુતી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી તેમજ ધર્મના બહેન કમરબેન શેખ,રામકૃષ્ણ મઠ અમદાવાદના સ્વામી પ્રભુસેવાનંદજી,સંસ્કારધામના પ્રમુખ ર્ડા.આર.કે.શાહ,સમન્વય પરિવારના પ્રમુખ રસિકભાઈ ખમાર,ટ્રસ્ટી ડૉ.સુરેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ મહત્વની વાત તો એ છે કે રાષ્ટ્ જાગરણ ગાયત્રી મહાયજ્ઞમાં 108 કુંડના નામ દેશભક્તોના નામ પરથી રાખેલ હતા તેમજ યજ્ઞશાળાનું નામ શ્રી હજારીમાતા યજ્ઞશાળા, તથા મુખ્ય પ્રવેશદ્વારનું પૂજ્ય હીરાબા પ્રવેશદ્વાર નામ રાખવામાં આવેલ, તથા ભોજનશાળાનું નામ સંતશ્રી પૂ.મુનિદાસજી મહારાજ ભોજનશાળા રાખવામાં આવ્યુ હતું, તેમજ છોડમાં રણછોડ એક વૃક્ષ એક તરુંમિત્ર અભિયાન અંતર્ગત 1008 વૃક્ષના રોપા આપવામાં આવેલ અને આવો ઘડે સંસ્કારવાન પેઢી થીમ અંતર્ગત ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને બાળકો માટે બાલ સંસ્કાર પ્રદર્શની રાખવામાં આવેલ અને નવયુવાનો વ્યસનથી મુક્ત બને એ હેતુસર શ્રીમતી મણીબેન પટેલ વ્યસન મુક્તિ સ્ટોલ પણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા સંગઠન ગુજરાત દ્વારા રાખવામાં આવેલ સાથે થેલીસિમિયાના રોગથી પીડિત બાળકો માટે સમાજસેવક પ્રભુદાસ પટેલ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ અને રાહતદરે પુસ્તકો માટે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય સ્ટોલ રાખવામાં આવેલ.

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.