પરિવાર લગ્ન નહિ થવા દે તેવું લાગતાં પ્રેમી યુગલે પોલીસ સ્ટેશનમાં પોતાના ગળા પર બ્લેડ ફેરવીઃ પ્રેમિકાનું મોત - At This Time

પરિવાર લગ્ન નહિ થવા દે તેવું લાગતાં પ્રેમી યુગલે પોલીસ સ્ટેશનમાં પોતાના ગળા પર બ્લેડ ફેરવીઃ પ્રેમિકાનું મોત


પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતાં પ્રેમીપંખીડાઓ ટુંકો રસ્તો અપનાવી દુનિયા છોડી દેતાં હોય છે. આવો વધુ એક બનાવ બન્યો છે. જેમાં કચ્છના નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામેથી બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવક અને યુવતિના મોબાઇલ ફોનના લોકેશન રાજકોટમાં પ્રેમ મંદિર નજીક મળતાં હોઇ ત્યાંની પોલીસે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ની ટીમે તપાસ કરી બંનેને હોટેલના રૂમમાંથી શોધી નખત્રાણા પોલીસને જાણ કરી હતી. આ પ્રેમી યુગલને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડ્યા હતાં. આ દરમિયાન બંનેને પોતાને નખત્રાણા પોલીસ લઇ જશે એ પછી પરિવારજનો અલગ જ્ઞાતિને કારણે એક નહિ થવા દે, લગ્ન નહિ થવા દે તેવું લાગતાં બંનેએ પોતાના સામાનમાંથી બ્લેડ કાઢી પોતાના જ ગળા પર ઘા મારી દેતાં યુવતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટના કસ્ટોડીયલ ડેથની હોઇ એસડીએમ દ્વારા પંચનામુ કરાયું હતું.
જાણવા મળેલી વિગતો મુજબ કચ્છના નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામમાં રહેતી પૂજા રૂપાભાઈ ભદરૂ (ઉ.વ.૨૩) અને વિનોદ ગોવિંદભાઈ સતવારા (ઉ.વ.૧૯) ગત તા.૨ મેના રોજ રાત્રિના નવેક વાગ્યા આસપાસ ગામમાંથી નીકળી ગયા હતાં. પુજા ભદરૂના પરિવારજનોએ આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દિકરી ગૂમ થવા અંગેની જાણ કરી હતી. જેમાં પૂજા રાતે નવેક વાગ્યે કોલગેટ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત આવી ન હોવાનું જણાવાયું હતું. નખત્રાણા પોલીસે મોબાઇલ લોકેશનને આધારે તપાસ કરતાં પૂજા રાજકોટમાં હોવાની માહિતી મળી હતી. એ દરમિયાન યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતની ટીમ લોકેશનને આધારે પ્રેમ મંદિર પાસે આવેલી હોટેલ નોવા ખાતે પહોંચી હતી. જ્યાં રૂમ નં. ૩૦૨માંથી પૂજા અને તેની સાથે વિનોદ સથવારા મળી આવતાં બંનેએ પોલીસ સ્ટેશને આવવા સ્વખુશી જણાવતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં અને નખત્રાણા પોલીસને જાણ કરાઇ હતી.
અહિ પીએસઓ જીજ્ઞેશભાઇ મૈયડને બંનેને સોંપાયા હતાં. બંનેને નખત્રાણા પોલીસ લઇ ન જાય ત્યાં સુધી નાગરિક સુવિધા કેન્દ્રમાં રખાયા હતાં. અહિ રાતે નવેક વાગ્યા પછી પૂજા અને વિનોદે પોતાની પાસેના સામાનમાં રાખેલી ધારદાર બ્લેડ કાઢી હતી અને પોતપોતાના ગળા પર જાતે જ ઘા મારી દીધા હતાં. આ અંગે પોલીસ સ્ટાફને જાણ થતાં દરવાજા તરફ દોડ્યા હતાં. પણ દરવાજો અંદરથી બંધ હોઇ તોડીને જોતાં પૂજાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું જણાયું હતું. જ્યારે વિનોદને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ થતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી રાધીકા બારાઇ સહિતના પહોંચ્યા હતાં. તેમના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. આઇ. રાઠોડ, પીઆઇ જાદવ, એએસઆઇ રવૈયા, સમીરભાઇ શેખ, રઘુભા વાળા, રાઇટર રાજેશભાઇ મીયાત્રા, લક્ષમણભાઇ મકવાણા અને ડી. સ્ટાફની ટીમે કાર્યવાહી આદરી હતી. આ ઘટના કસ્ટોડીયલ ડેથની ગણી એસડીએમને જાણ કરવામાં આવતાં તેમની હાજરીમાં પૂજાના મૃતદેહનું પંચનામુ કરાવી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. યુવતિના પરિવારજનો આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતાં.
આપઘાત કરનાર પૂજા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા રૂપાભાઇ કાનાભાઇ ભદરૂ કડીયા કામની મજૂરી કરે છે. માતાનું નામ પાનબેન છે. પિતા રૂપાભાઇએ કહ્યું હતું કે બુધવારે તા. ૨ના રાતે હું કામેથી ઘરે આવ્યો ત્યારે દિકરી પૂજા કોલગેટ લેવા જવાનું કહીને નીકળ્યા પછી પરત ન આવતાં અમે શોધખોળ શરૂ કરી હતી અને પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી. દરમિયાન ગત રાતે શુક્રવારે અમને દિકરી રાજકોટમાં હોવાની જાણ થતાં અમે આજે શનિવારે અહિ આવ્યા હતાં. અહિ અમને દિકરી મૃતદેહ સ્વરૂપે મળી હતી. તેમ કહી પિતાએ પોક મુકી હતી.
જ્યારે સારવારમાં રહેલો વિનોદ સાત ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેના પિતા ખેતી કામ કરે છે. વિનોદ પણ ખેત મજૂરી કરે છે. રાજકોટ પહોંચેલા પરિવારજનોએ કહ્યું હતું કે દિકરાને આ રીતે પ્રેમસંબંધ છે તેની અમને જાણ જ નહોતી નહિતર તેને સમજાવીને પાછો વાળી લીધો હોત.
આ ઘટનામાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપી રાધિકા બારાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. નાગરિક સુવિધા કેન્દ્રમાંથી બ્લેડ મળી આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પૂજા અને વિનોદ બંને પ્રેમ કરતાં હતાં. પરંતુ અલગ જ્ઞાતિના હોવાથી તેમનો પરિવાર તેમના લગ્ન નહિ થવા દે તેવો વિચાર મનમાં આવતાં ગામમાંથી નીકળી ગયા બાદ રાજકોટમાં હોટેલમાં રોકાયા હતાં અને અહિ પોલીસે શોધી કાઢી નખત્રાણા પોલીસને જાણ કરતાં પરિવારજનો લઇ જશે પછી અલગ કરી દેશે તેવુ લાગતાં બંનેએ પોતાના ગળા પર બ્લેડના ઘા મારી દીધા હતાં. જેમાં પૂજાનું મોત થયુ઼ હતું. વિનોદ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. એસીપી રાધિકા બારાઇ આગળની તપાસ કરે છે.
પૂજા અને વિનોદે પોતાની જાતે જ એકબીજાને અસંખ્ય બ્લેડના ઘા ઝનૂનથી માર્યાઃ દરવાજો તોડતી વખતે પોલીસે દ્રશ્ય નિહાળ્યા
. પ્રેમી યુગલ પૂજા અને વિનોદને પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં રખાયા હોઇ બંનેએ અહિ પોતપોતાના ગળા પર જાતે જ બ્લેડના ઘા ઝનૂનથી મારવાનું ચાલુ કરી દીધુ હતું. આ વખતે એએસઆઇ હાર્દિકભાઇ રવૈયા રૂમ પાસેથી નીકળતાં બારીમાંથી જોતાં આ બંને પોતાના ગળા પર બ્લેડના ઘા મારતાં દેખાતાં હોઇ તેમણે બુમાબુમ કરી બીજા સ્ટાફને બોલાવ્યો હતો અને દરવાજો અંદરથી બંધ હોઇ તોડ્યો હતો. દરવાજો તોડવામાં આવી રહ્યો હતો ત્યારે પણ આ બંને પોતાના ગળા પર જાતે બ્લેડના ઘા મારી રહ્યા હોઇ તે દ્રશ્ય પોલીસે નીહાળ્યા હતાં અને તેનું મોબાઇલમાં શુટીંગ પણ પુરાવા રૂપે કર્યુ હતું.
પૂજા અને વિનોદે પોતાની જાતે જ એકબીજાને અસંખ્‍ય બ્‍લેડના ઘા ઝનૂનથી માર્યાઃ દરવાજો તોડતી વખતે પોલીસે દ્રશ્‍ય નિહાળ્‍યા
ઞ્જ પ્રેમી યુગલ પૂજા અને વિનોદને પોલીસ સ્‍ટેશનના નાગરિક સુવિધા કેન્‍દ્રમાં રખાયા હોઇ બંનેએ અહિ પોતપોતાના ગળા પર જાતે જ બ્‍લેડના ઘા ઝનૂનથી મારવાનું ચાલુ કરી દીધુ હતું. આ વખતે એએસઆઇ હાર્દિકભાઇ રવૈયા રૂમ પાસેથી નીકળતાં બારીમાંથી જોતાં આ બંને પોતાના ગળા પર બ્‍લેડના ઘા મારતાં દેખાતાં હોઇ તેમણે બુમાબુમ કરી બીજા સ્‍ટાફને બોલાવ્‍યો હતો અને દરવાજો અંદરથી બંધ હોઇ તોડયો હતો. દરવાજો તોડવામાં આવી રહ્યો હતો ત્‍યારે પણ આ બંને પોતાના ગળા પર જાતે બ્‍લેડના ઘા મારી રહ્યા હોઇ તે દ્રશ્‍ય પોલીસે નીહાળ્‍યા હતાં અને તેનું મોબાઇલમાં શુટીંગ પણ પુરાવા રૂપે કર્યુ હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.