ધંધુકા ની શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી માં ધોરણ-10 અને -12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહ યોજાયો. - At This Time

ધંધુકા ની શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી માં ધોરણ-10 અને -12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહ યોજાયો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી માં ધોરણ-10 અને -12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહ યોજાયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા બગોદરા રોડ પર આવેલી શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી માં ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ માં વિદ્યાર્થીઓ ને શાળાના આચાર્ય શ્રી જાગૃતિબેન પટેલ દ્વારા મોટીવેટ કરવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ ને પરીક્ષા નો ભય દૂર કરવા સુંદર ઉદાહરણ દ્વારા સમજાવ્યા હતા. આ પ્રસંગ માં વિદ્યાર્થીઓની શાળામાં તેમની જૂની યાદો ને ફોટો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી જે જોઈ ને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ તેમજ ભાવુક પણ બની ગયા હતાં. વિદ્યાર્થીઓ ને વિવિધ પ્રકારની રમતો રમાડી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોને ભેટ સ્વરૂપે તેમની સ્મૃતિ આપવામાં આવી હતી અને શાળા દ્વારા પણ વિદ્યાર્થીઓ ને ભેટ આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિજયસિંહ બારડ એ ખૂબ જ મહેનત કરી હતી. આ પ્રસંગ વિદ્યાર્થી અને શાળાના શિક્ષકો ના દિલ માં યાદગાર બની ગયો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.