વિસાવદર-જુનાગઢ ટ્રેનબોર્ડગેજમાં ફેરવાશે ટ્રેન ટુક સમયમાં બંધ કરાશે રેલવે વિભાગની જાહેરાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k35liptuu67uciab/" left="-10"]

વિસાવદર-જુનાગઢ ટ્રેનબોર્ડગેજમાં ફેરવાશે ટ્રેન ટુક સમયમાં બંધ કરાશે રેલવે વિભાગની જાહેરાત


વિસાવદર-જુનાગઢ ટ્રેનબોર્ડગેજમાં ફેરવાશે ટ્રેન ટુક સમયમાં બંધ કરાશે રેલવે વિભાગની જાહેરાત
વિસાવદરતા.વિસાવદર-જુનાગઢ ટ્રેનને મીટર ગેજમાં ફેરવવા માટે વર્ષો જૂની માંગણી હતી આ બાબતે સોરઠના સાસંદ સભ્યો નારણભાઇ કાછડીયા, રાજેશભાઈ ચુડાસમા,તથા વિસાવદર ના તત્કાલીન ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, ચેમ્બર ઓફ કોમર્સના વિસાવદરના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર,ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે. એચ.ગજેરા,વિસાવદર ના એડવોકેટ નયનભાઇ જોશી,લલિતભાઈ ભટ્ટ,ઈલિયાસભાઈ ભારમલ, જે.પી. છતાણી,સહિતના લોકો દ્વારા સતત રજુઆત કરેલ હતી તેમજ ટિમ ગબ્બર દ્વારા પણ દેશના વડાપ્રધાન, રેલવે મંત્રી,રેલવે બોર્ડ,સહિતના મુંબઈ,દિલ્હી,ભાવનગર સહિત સતત રજૂઆતો કરવામાં આવેલ હતી જેમાં પ્રથમ વિસાવદર-જુનાગઢ મીટર ગેજ ટ્રેનને બોર્ડગેજમાં ફેરવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય ટુક સમયમાં વિસાવદર- જુનાગઢ ટ્રેન બંધ કરવામાં આવશે તેઓ લેખિત પત્ર રેલવે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતા લોકોએ સહર્ષ સ્વીકારી આ કામ વહેલાસર ચાલુ કરી વહેલાસર પૂરું થાય અને લોકોની સુવિધાઓ વધે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]