મહુવા તાલુકાના કાળેલા ગ્રામજનો દ્વારા નાળુ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. - At This Time

મહુવા તાલુકાના કાળેલા ગ્રામજનો દ્વારા નાળુ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કાળેલા ગામે મુખ્ય નાળાની કામગીરી હાલના સમયમાં શરૂ છે આ નાળુ ભૂંગળાવાળું નાળું બનતું હોવાથી ગામ લોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં મોટું કોલમ વાળુ નાળુ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ, તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે મોટા પ્રમાણમાં પાણીની આવક હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, જેને લઈને ગ્રામજનો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.