ગીર સોમનાથમાં ૪૦ દર્દીઓને આપવામાં આવી નિક્ષય મિત્ર ન્યૂટ્રીશન સપોર્ટ કીટ* - At This Time

ગીર સોમનાથમાં ૪૦ દર્દીઓને આપવામાં આવી નિક્ષય મિત્ર ન્યૂટ્રીશન સપોર્ટ કીટ*


*ગીર સોમનાથમાં ૪૦ દર્દીઓને આપવામાં આવી નિક્ષય મિત્ર ન્યૂટ્રીશન સપોર્ટ કીટ*
----------
ગીર સોમનાથ.તા.૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ TB મુક્ત ભારતનું આહવાન કરેલ છે. જેના ભાગરૂપે "સ્ટેલા મેરી ટ્રસ્ટ" પ્રભાસ પાટણ ગીર સોમનાથ દ્વારા DRTB ૪૦ દર્દીઓને ન્યૂટ્રીશન સપોર્ટ (નિક્ષય મિત્ર) kit આપેલ છે.
ગીર સોમનાથ જિલ્લાના તમામ DRTB દર્દીઓને દર મહિને પેશન્ટને ન્યુટ્રીશન કિટ આપવામાં આવે છે તેમજ એચઆઈવી દર્દીઓને છેલ્લા ૧૫ વર્ષથી દર મહીને આશરે ૧૫૦ દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ આપે છે. જે ગીર સોમનાથ જિલ્લા માટે પ્રશંસનિય બાબત છે. આ તકે ડોક્ટર દિપક પરમાર તેમજ જિલ્લા ક્ષય અધિકારી તથા ડીપીએસ સોલંકી મેણસીભાઈ પણ હાજર રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.