કેશોદનો યુવાન અગ્નિવીર સેવા દળમાં પસંદગી પામી જબલપુર ટ્રેનિંગમાં જતાં ગૌરવભેર વિદાય આપી - At This Time

કેશોદનો યુવાન અગ્નિવીર સેવા દળમાં પસંદગી પામી જબલપુર ટ્રેનિંગમાં જતાં ગૌરવભેર વિદાય આપી


કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સૈન્યને મજબુત બનાવવા અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય તો સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં પહોંચી વળવા યુવાનો ને અગ્નિવીર સેવા દળ હેઠળ પસંદ કરી તાલીમ આપવામાં આવી રહી છે. કેશોદના ઈંદિરાનગર વિસ્તારમાં રહેતાં મનોજકુમાર બટુકભાઈ ધુળા ની પસંદગી થતાં કેશોદ નું ગૌરવ વધાર્યું હતું. આજરોજ જબલપુર ખાતે તાલીમ મેળવવા જવાનું હોય મનોજભાઈ ધુળા નાં પરિવારજનો મિત્રો સ્નેહીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગૌરવભેર વિદાય આપી હતી. કેશોદના માજી સૈનિક મહેન્દ્રસિંહ દયાતર દ્વારા યુવાનો ને વિનામૂલ્યે શારિરીક તૈયારીઓ માટે તાલીમ આપવામાં આવે છે અને વિકાસભાઈ બળવા લખનભાઈ ભરડા દ્વારા લેખિત પરિક્ષા ની વિનામૂલ્યે તૈયારી કરાવવામાં આવે છે ત્યારે મનોજકુમાર બટુકભાઈ ધુળા એ પણ આ તાલીમ કેન્દ્ર માં તાલીમ મેળવી હોય ત્યારે મહેન્દ્રસિંહ દયાતર અને વિકાસભાઈ બળવાએ શુભેચ્છાઓ પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.