શહેરા બસ સ્ટેશન પાસેથી નવજાત બાળક મૃત અવસ્થામાં મળ્યું - At This Time

શહેરા બસ સ્ટેશન પાસેથી નવજાત બાળક મૃત અવસ્થામાં મળ્યું


શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા બસ સ્ટેશન પાસે નગરપાલિકાની કચરા પેટીમાંથી ત્યજી દીધેલુ બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બપોરના સમયે એક ઈસમને કચરાના ઢગલાની બાજુમાં અંદાજીત પાંચ માસનુ બાળક મૃત અવસ્થામાં મળી આવ્યુ હતુ. શહેરા નગરના અતિ ધમધમતા બસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મુકવામા આવેલી કચરાપેટી પાસે એક પાંચ માસનુ બાળક એક ઈસમને નજરે પડ્યુ હતુ આથી તેમને તાત્કાલિક પાલિકાના અધિકારીઓ અને શહેરા પોલીસને જાણ કરી હતી. અને સરકારી દવાખાનાના પણ તબીબ આવી પહોચ્યા હતા.આથી તેની તપાસ હાથ ધરતા તે મરણ ગયેલ હોવાનુ તપાસમા વિગત આવી હતી. કોઈ નિષ્ઠુર માતા આ બાળકને જ્ન્મ આપીને ત્યજી ગયા બાદ તેનુ મોત થયુ છે ત્યારે આ રીતે બાળકને ત્યજી જનારા સામે લોકોમાં પણ ફિટકાર જોવા મળ્યો છે. બનાવ સ્થળે પણ લોકટોળા જોવા મળ્યા હતા. નગર પાલિકા ના કામદારો દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.