ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ૬ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત, રિક્ષા ચાલક ઘાયલ. - At This Time

ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ૬ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત, રિક્ષા ચાલક ઘાયલ.


ટ્રકની અડફેટે રિક્ષામાં સવાર સાત વ્યક્તિઓ પૈકી ૬ ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા રિક્ષા ચાલક ઘાયલ

ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર મધ્ય પ્રદેશથી દાહોદ તરફ જતા ટ્રક અને ઝરી ખરેલી ગામ તરફ જઈ રહેલ રિક્ષાને ટ્રકે અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર ૬ વ્યક્તિના ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે રિક્ષા ચાલક ને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રિક્ષામાં ફસાયેલ ચાલકને બહાર કાઢ્યો હતો અને ૧૦૮ ને જાણ કરી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.