ધ્રાંગધ્રા બેઠક પર આજથી પ્રચારના પડઘમ શાંત: ઉમેદવારો કરશે ખાનગી બેઠક. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hmbzs0yzhpn9ya2v/" left="-10"]

ધ્રાંગધ્રા બેઠક પર આજથી પ્રચારના પડઘમ શાંત: ઉમેદવારો કરશે ખાનગી બેઠક.


ધ્રાંગધ્રા: રાજ્યમા પ્રથમ તબક્કાના મતદાનની ચુંટણી પ્રચાર આજે સાંજે ૫:૦૦ વાગ્યે બાદ પુણઁ થઇ જશે ત્યારે હવે ૧ ડિસેમ્બરના રોજ મતદાનના સમયે દરેક ઉમેદવારીનુ ભાવી EVM મશીનમાં કેદ થશે તેવામાં આજથી ધ્રાંગધ્રા બેઠક પર ચુંટણી પ્રચાર શાંત પડશે. ધ્રાંગધ્રા-હળવદ બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયા તથા આમ આદમી પાટીઁના ઉમેદવાર વાઘજીભાઇ પટેલની ત્રિપાંખિયો જંગ છે. આ તરફ ચુંટણી પ્રચારના પડઘમ તો શાંત પડી જશે પરંતુ હજુય તમામ પક્ષના ઉમેદવારો મતદાન તારીખોની નજીક પહોચતા જ વધુ ઝડપી અને કોઇપણ પ્રકારે મતદારોને રીઝવવા યેન-કેન રીતે સમજાવશે સાથે જ ચુંટણી પંચના નિયમો પ્રમાણે રાજકીય પક્ષોના પ્રચાર બંધ થયા બાદ હવે ખાનગી બેઠકો અને મતદારોને યેન-કેન પ્રકારે આકષઁવાની નિતી પણ શરુ કરાશે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]