7 દિવસમાં કાલે બીજી વખત રાજકોટ આવશે, વેપારીઓ સાથે 5 વાયદા કર્યા બાદ હવે નવું શું કરશે તેના પર સૌ કોઈની નજર - At This Time

7 દિવસમાં કાલે બીજી વખત રાજકોટ આવશે, વેપારીઓ સાથે 5 વાયદા કર્યા બાદ હવે નવું શું કરશે તેના પર સૌ કોઈની નજર


કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે 25 ફૂટ ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગની સંધ્યા આરતી કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના સૌરાષ્ટ્ર અને તેમાંય ખાસ કરીને રાજકોટના આંટાફેરા વધ્યા છે. પાંચ દિવસ પહેલા વેપારીઓ સાથે 5 વાયદા કરીને ગયા હતા. ત્યારે હવે 7માં દિવસે એટલે કે કાલે ફરી રાજકોટ આવી રહ્યા છે. કાલે સોમવારે રાજકોટની સંજયભાઈ રાજ્યગુરૂ કોલેજના કેમ્પસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 ફૂટની રૂદ્રાશના શિવલિંગની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે કરશે. 

સંધ્યા આરતી કર્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે રાજકારણના એપી સેન્ટર સૌરાષ્ટ્ર-રાજકોટને કેજરીવાલ નિશાન બનાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.