માળીયા હાટીના લોહાણા મહાજન દ્વારા ચાલતી સમૂહ ભાગવત સપ્તાહ પારાયણ માં પધારતા વૈષ્ણવાચાર્ય શ્રી નવનીતલાલ જી મહારાજ - At This Time

માળીયા હાટીના લોહાણા મહાજન દ્વારા ચાલતી સમૂહ ભાગવત સપ્તાહ પારાયણ માં પધારતા વૈષ્ણવાચાર્ય શ્રી નવનીતલાલ જી મહારાજ


માળીયા હાટીના લોહાણા મહાજન દ્વારા ચાલતી સમુહ ભાગવત કથા પારાયણ માં જૂનાગઢ થી 108 વૈષ્ણવાચાર્ય શ્રીનવનીતલાલ જી મહારાજ પધાર્યા હતા અને દર્શનનો લાભ આપી શ્રીમદ્દ ભાગવત કથા નો મહિમા સમજાવી આશીર્વચનો આપ્યા હતા
આ પ્રસંગે કાનાબાર પરિવારના સુરાપૂરાદાદા શ્રીવશરામદાદાના ભૂવા બાપા શ્રી કાંતિબાપા કાનાબારએ પણ હાજરી આપી હતી અને કથાના વકતા શ્રી કેતનભાઈ પેરાણીને સાલ ઓઢાડી બહુમાન કરેલ હતું

આતકે લોહાણા મહાજનના પ્રમુખ પ્રવિણભાઈખોડા અને ઉ પ. પ્રમુખ પ્રવિણભાઈ કારિયા એ નવનીતલાલજી મહારાજ અને ભૂવા બાપા શ્રી કાંતિબાપા કાનાબારને આવકાર્ય હતા અને ભવ્ય સ્વાગત કરેલ હતું

તેમજ ભૂવા બાપા શ્રી કાંતિબાપા કાનાબારને હારતોરા સન્માન કરેલ હતું આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો દરરોજ કથા નો અને મહા પ્રસાદ નો લાભ લેવામાં આવે છે તેથી લોહાણા જ્ઞાતીમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.