કમ્પ્રેસર રીપેર કરતી વેળાએ વિજશોક લાગતાં કારખાનેદારનું મોત - At This Time

કમ્પ્રેસર રીપેર કરતી વેળાએ વિજશોક લાગતાં કારખાનેદારનું મોત


રાજકોટ તા. 10
રણછોડનગરમાં ગુલ્ફીનું કારખાનું ધરાવતાં રામજીભાઈ બચુભાઇ ખાચરિયા (ઉ.વ.62) ગત રોજ મશીનનું કમ્પ્રેસન રિપેર કરતાં હતાં ત્યારે વીજ શોક લાગતાં સારવારમાં પોહચે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગોકુલ હોસ્પિટલ સામે રણછોડનગરમાં રહેતાં રામજીભાઈ ગત રોજ ઘર પાસે જ ગુલ્ફી બનાવવાનું કારખાનું ધરાવે છે અને ગત રોજ તેઓ કારખાને હાજર હતાં ત્યારે ફ્રિજ ખરાબ થતાં તેના મશીનનું કમ્પ્રેસન રીપેર કરતી વેળાએ છુટા પડેલા વાયરને હાથ લાગી જતાં વિજશોક લાગતાં ફંગોળાઈને પટકાયા હતાં જ્યાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં અને 108 ને જાણ કરતાં ઈએમટીએ તપાસી મૃત જાહેર કર્યા હતાં.
બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમમાં ખસેડી કાગળો કર્યા હતાં. વધુમાં મૃતકને સંતાનમાં બે પુત્રો છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.