ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૮મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૮મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૮મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી - At This Time

ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૮મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૮મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૮મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી


રિપોર્ટ:- નિમેષ‌ સોની, ડભોઈ

.પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતિય પુત્ર આચાર્યશ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગુસાઈજી ના નામે પૂજન કરે છે. નગરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રાઓ નિકળી હતી. ગુસાઇજી નો જન્મ જયંતી મહોત્સવ ડભોઇ નગર ના વૈષ્ણવોએ ભારે ઉત્સાહભેર અને ઉમંગથી આજરોજ ધામધૂમથી ઉજવ્યો હતો

ડભોઇ નગરમાં વસતા દશાલાડ સમાજના જ્ઞાતિજનો ઝારોલા સમાજ ના જ્ઞાતિજનો તેમજ વિશાલા સમાજના જ્ઞાતિજનો દ્વારા આ ઉત્સવ ધાર્મિક ભક્તિભાવથી આજરોજ ઉજવ્યો હતો દર્ભાવતિ નગરીમાં વસતા હજારો ઉપરાંત વૈષ્ણવોએ શ્રી ગુંસાઈજી ની જન્મ જયંતી નિમિત્તે ડભોઇ ઝારોલાવાગામાં આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર વિશાલલાડ વાગામાં આવેલ શ્રીનાથજીની હવેલી તેમજ ઉમા સોસાયટી માં આવેલ છોટા દ્વારકાધીશ ની હવેલીમાં સવારથી જ મંગળવધો અને વધાઈ થી ગાજી ઉઠી હતી. હવેલિઓને ફુલ હાર અને ડેકોરેશન વડે શણગારવામાં આવી હતી. ઝારોલા વાગા માં આવેલ શ્રી દ્વારકાધીશ હવેલીમાં સવારના દસ કલાકે સોનાના પલનાના મનોરથ ના દર્શન તથા રાજભોગ માં ૧૧.૩૦ કલાકે તિલકના દર્શન થતા હજારો વૈષ્ણવોએ આ દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.

આજરોજ સાંજના ડભોઇના ઝારોલાવાગાના પરમ ભગવદીય વૈષ્ણવ જયેશભાઈ ગોવિંદલાલ મોદી ના નિવાસ્થાને થી નીકળેલ શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો કેસરી રંગના ઉપરાના ઓઢીને જોડાયા હતા. જ્યારે મહિલાઓએ માથે કળશ લીધા હતા. આ શોભાયાત્રામાં સજાવેલી વિક્ટોરિયામાં શ્રી ગુંસાઈજી ની છબી પધરાવી હતી. જ્યારે બીજી વિક્ટોરિયામાં મહારાજ શ્રી પધાર્યા હતાં. આ શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી પરત દ્વારકાધીશ હવેલી એ પહોંચી હતી. શોભાયાત્રા ટાવર પાસે આવી પહોંચતાં મહિલાઓએ ગરબા ની ભવ્ય રમઝટ બોલાવી હતી. અને સુંદર આતશબાજી કરવામાં આવી હતી આ શોભાયાત્રા જોવા માટે રાજમાર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા દ્વારકાધીશ હવેલી એ શોભાયાત્રા આવી પહોંચતા મનોરથી એ આ શોભાયાત્રા ને ફૂલોવડે વધાવી હતી. આજ રીતના નગરમાં સમાજ ના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નિકળી હતી શોભાયાત્રા એ નગરમાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશ હવેલી ખાતે દરરોજ પાઠ નું સ્મરણ કરવામાં આવતું હતું. તેમજ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. શોભાયાત્રા પૂરી થયા બાદ રાત્રિના પ્રસાદી લેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.