માળીયા હાટીનામાં સુનિધિ ચેરીટી ફાઉન્ડેશન તેમજ ધોળકિયા પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિસ્તરણ - At This Time

માળીયા હાટીનામાં સુનિધિ ચેરીટી ફાઉન્ડેશન તેમજ ધોળકિયા પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિસ્તરણ


ઠંડીની મોસમમાં માળીયા હાટીના વણિક મહાજન વંડી ખાતે સુનિધિ ચેરીટી ફાઉન્ડેશન દ્વારા 500 ધાબળાતેમજ ગિરધરલાલ કેશવજીભાઈ ધોળકિયા પરિવાર દ્વારા 200 ધાબળા આમ કુલ 700 ધાબળા જરૂરિયાત મંદ લોકોને આશીર્વાદ ચેરિટી ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત 89 માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા,મહેન્દ્રભાઈ ગાંધી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, હમીરસિંહ સીસોદીયા, ડો. આભાબેન મલ્હોત્રા, તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ દયાતર, રાજુભાઇ દેસાઈ સહિતના આગેવાનો વરદ હસ્તે જરૂરિયાત મંદ ને ધાબળા વિસ્તરણ કરવામાં આવેલ જે જરૂરિયાત મંદોને આશીર્વાદ રૂપ બનેલ

આમ સેવાભાવી મહેન્દ્રભાઈ ગાંધી માળીયા હાટીના માં ખુબજ લોકોના સેવા કાર્ય કરેછે ગત 17/12/22ના રોજ વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પમાં મહેન્દ્રભાઈ ગાંધીના અથાગ પ્રયાસ થી 300 દર્દીઓ નિદાનનો તેમજ 78 ઓપરેશન લાયક દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશનનો લાભ તેમજ 80 દર્દીઓને વિના મૂલ્યે ચશ્મા વિસ્તરણ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન ના તેમજ સ્વ. જેનિષભાઈ કોઠારીના માતૃશ્રી ફરીદાબેન અવનીશભાઈ કોઠારીના આર્થિક સહયોગથી આકેમ્પને ખુબજ સફળ અને આર્શીવાદ રૂપ બનેલ

આવા વિવિધ કર્યો માળીયા હાટીના હર હમેશ લોકોના સેવાના કાર્ય મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા યોજવામાં આવે છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.